________________
૨૫૦
કથામંજરી પુત્ર થતો નહતું, તેથી શેઠાણીએ ગામની અધિષ્ઠાયિકા પ્રભાવવાળી ચામુંડા દેવીની બાધા રાખી કેઃ “હે દેવી! જે તારા પ્રસાદથી મને પુત્ર પ્રાપ્તિ થશે, તે ત્રણ લાખ દ્રવ્ય ખરચીને હું તારી પૂજા કરીશ.”
તેને પુત્ર થયે. પોતે જે બાધા રાખી હતી તે, ભર્તારને કહી. તેણે કહ્યું કેઃ “સારું કર્યું.” પછી એક એક લાખ દ્રવ્ય ખરચીને તેણે રત્ન જડેલા સોનાનાં ત્રણ પુપે કરાવ્યાં. પછી પોતાના પરિજને સાથે દેવી પાસે જઈને તેની યથાવિધિ પૂજા કરી અને તે ત્રણે ફૂલે દેવીની બે ભૂજા પર બે, અને એક કપાળમાં એમ ત્રણ સ્થળે ચઢાવ્યા.
દંભી માણસે દેવોને પણ છેતરે છે, તો પછી મનુષ્યને છેતરે તેમાં નવાઈ જ શી ?'
શેઠે ત્યારપછી પિતાની, પત્નીની અને પુત્રની ત્રણેની શેષ તરીકે તે ત્રણે ફૂલે પાછા લઈ લીધા, અને તે શઠ શિરોમણિ શેઠ પિતાના ઘેર આવ્યો. દેવી તે જોઈને વિલખી થઈ ગઈ અને તેના મિત્ર સહિયડ નામના દેવ પાસે પિતાનું મને દુઃખ કહેવા માટે ગઈ. તેને કહ્યું કેઃ “હે દેવ! કુલાનંદ નામના શેઠે ત્રણ ફૂલે મને અર્પણ કરીને યુક્તિપૂર્વક પાછા લઈ લીધા અને મને છેતરી. હવે હું શું કરું? | સહિયડ દુઃખપૂર્વક બે કેઃ “તું તે સુખેથી છૂટી, તેથી ભાગ્યશાળી છું. સાંભળ, તે શેઠે મારી કેવી કદર્થના કરી હતી તે કહું છું.” પહેલાં તેનું એક વહાણ મધ્ય સમુદ્રમાં પ્રવાસ કરતાં ખોવાઈ ગયું. તેની નિશાની પણ જણાતી નહોતી; તેથી તે મારી પાસે આવ્યા, અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org