________________
કથામંજરી ચોથી વહુને ત્રણસો રૂપિયા રોકડા આપ્યા હતા. કુટુંબના બીજા માણસોથી આ વસ્તુઓ ગુપ્ત રાખી હતી.
એક વખતે તે વૃદ્ધ ડોસીને ક્ષયરોગ થયો, તેથી જઠરાગ્નિ મંદ થઈ ગઈ. એક પગલું પણ મહા મુશ્કેલીથી ભરાતું હતું અને બોલતાં પણ બહુ જ કષ્ટ પડતું હતું. જ્યારે વૈદ્યોએ તે ડેસીની જીવવાની આશા તદ્દન છેડી દીધી, ત્યારે તેને ભેંય ઉપર લીધી. તેના હાથ પરની વીંટી વગેરે દાગીનાએ ઉતારી લેવા છોકરાઓ તૈયાર થયા. સગાસંબંધી એકઠા થઈ ગયા, અને “અનશન કરાવે તેમ બધા કહેવા લાગ્યા.
અંત સમયે નવકાર મંત્રનાં પદે બેલાવા લાગ્યા. તે વખતે ડોસી મનમાં વિચારવા લાગી કે “વહુઓને ગુમરીતે આપેલા મારા દ્રવ્યનો ઉપયોગ કરવાને આ અવસર છે.” એમ વિચારીને પહેલી વહુને કહ્યું કે “દીકરી! સાંકળી.”
લેકેએ પૂછ્યું કે “વહુ! સાસુ શું કહે છે?
તે વહુએ કપટ કરીને કહ્યું કેઃ “સાંગર, સાંગરી.” આ શાક પહેલાં તેમને બહુ વહાલું હતું.
બીજીને બોલાવીને સાસુએ કહ્યું કે “દીકરી! અંગુથળ.”
લોકેએ તેણે પૂછવાથી કહ્યું કે સાસુજી કહે છે કે અંગ દાબે.”
ત્રીજી પાસે “સાંકળું માગ્યું. તેણે કહ્યું કેઃ “સાસુજી ઘર સાચવવાનું કહે છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org