________________
૧૮૨
કથામંજરી એવા પિતાના મૂર્ણ પુત્રોને કહ્યું કે “અરે પુત્ર! એક બ્રાહ્મણ આપણા યુવાન બળદને રોગ થયે હતું, તેવા જ રેગવાળે પરદેશથી અહીં આવેલ છે. તેથી તે મેટા અવાજે પિકાર કરે છે. તેને દેખીને મને બહુ ખેદ થાય છે. આ બ્રાહ્મણ આપણા આશ્રયે આવીને રહેલ છે. તેઓએ કહ્યું કે અમે પણ તેને બરાડા પાડતે સાંભળ્યો છે. અમે પણ તેના પેટ ઉપર ડામ દઈને, તેને સાજે કરીશું.”
ડોસીએ કહ્યું કેઃ “તમારો વિચાર બરોબર છે.”
બીજા દિવસે કથા કરવા વ્યાસજી આવ્યા. ત્યારે ચારે ભાઈઓએ, તેને નીચે પાડી નાખીને તેના ઉપર બેસી ગયા, અને તેને ડામ દેવા લાગ્યા. વ્યાસજી બૂમે પાડવા લાગ્યા, ત્યારે તેઓએ કહ્યું કેઃ “હજુ મર્મસ્થાનમાં ડામની બરાબર અસર થઈ નથી. તે સ્થળે ડામની બરાબર અસર થશે, એટલે તે સુખેથી આંખ મીચીને સૂઈ જશે.” વ્યાસ તે સાંભળીને આંખે મીચી ચૂપ થઈ ગયે અને શાંતિથી પડ્યો રહ્યો. પછી તેઓ બોલ્યા કે “અહીં જરા જોરથી ડામ દો, તપેલું લેતું બરાબર દબાવીએ નહિ તે મર્મસ્થાનમાં ડામની અસર થતી નથી.” આ પ્રમાણે પોતાની ઈચ્છા પ્રમાણે તે વ્યાસજીને, હેરાન કરીને તેઓએ છૂટા કર્યા. જ્યારે તે બધા ડામ સૂકાઈ ગયા, ત્યારે વ્યાસજી પિતાના વતનમાં પિતાના ઘેર પાછા આવી પહોંચ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org