SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ વૈદ્યની કથા ૧૬૯ જૂદા વાસણોમાંથી પલ અથવા અર્ધપલ પ્રમાણે લઈને તે બધાને આપતે. જે જીવતા તે તેને સારો સત્કાર કરતા જે મરણ પામતા તે કર્મવશથી મૃત્યુ પામ્યા તેમ કહેવાતું. સમય પૂરો થયે તે બ્રાહ્મણ વૈદ્ય મરણ પામે. તેને એક બાર વરસને દિકરો હતે. તેની માતા જીવતી હતી. વળી તે પુત્રને ઢોરની માફક બહુ ખાવા જોઈતું હતું. લેક પહેલાંની રૂઢિ પ્રમાણે તેની પાસે આવતા, અને દવા માગતા. તે કાંઈપણ તેમાં જાણતો નહોતે, તેથી તેણે તેની માતાને પૂછ્યું, માતાએ ઔષધિની બધી શીશીઓ તપાસી, સર્વ ચૂર્ણો તેને બતાવ્યા, અને પુત્રને કહ્યું કેઃ “હે પુત્ર! આ ચૂર્ણ બધા લોકોને મેટા ભાગે તારા પિતાજી આપતા હતા, તું પણ તે જ પ્રમાણે દરેકને રેગ પૂછીને આ ચૂર્ણ આપજે.” તેણે માતાનાં વચન પ્રમાણે કરવા માંડ્યું. જે કઈ ગમે તે વ્યાધિથી પીડાતે આવતે તેને તે ચૂર્ણ આપતા હતા. તેનું પુણ્ય પ્રબળ હેવાથી લોકોના રોગ પણ મટી જતા હતા, તેથી લેકે રાજી થઈને તેનું બહુમાન કરીને, દ્રવ્ય વગેરે આપતા હતા. પુણ્યના ઉદયથી તે દિવસે દિવસે ધન, ધાન્ય, ઢેર, ઢાંખર વગેરેથી તેના પિતા કરતાં પણ વધારે સમૃદ્ધિવાળો થ. એક વખત તે ગામના મુખીની ઘડી તબેલામાંથી છૂટીને નાશી ગઈ. તે મુખીને દિકરે તે વૈદ્યને પૂછવા આ કેઃ “મારી ઘડી ક્યા સ્થળેથી મલશે?” તેણે તેને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005177
Book TitleKatha Manjari Part 01
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy