________________
કથામંજરી અને ચારને સરખો ન્યાય હોવાથી મારા પુત્રે ગેવિંદ શેઠના ઘેર ખાતર પાડ્યું. મારે પુત્ર નવયુવાન હતું, તે ઘણા લોકોના આધારભૂત હતો. તે ગેવિંદ શેઠના ઘરની ભીંત પડી તેથી દબાઈને મરણ પામે છે, તેના દુઃખથી દુઃખિત થએલી હું રૂદન કરું છું.”
રાજાએ શેઠને બોલાવીને કહ્યું કે “અરે! તે ખરે અન્યાય કરનારે છે, તારી ભીંત પડી જવાથી ચોર મરણ પામ્યો.”
રાજ્યનાં ધર્મે જાણનાર તે શેઠ બોલ્યા કે “મહારાજ! તે ભીંત તૂટી પડી તેમાં મારે શું દેષ? મેં તે ચૂને વગેરે પુષ્કળ આપ્યું હતું, પરંતુ કડીયાએ તે સારી બનાવી નહિ.”
રાજાએ કહ્યું કે “બરાબર છે.” પછી કડીયાને બોલાવીને રાજાએ કહ્યું કેઃ “અરે! તેં ભીંત આવી નબળી અને ખરાબ કેમ બનાવી?” - કડીયાએ બરાબર ધ્યાન રાખી નિશ્રળતાથી જવાબ આ કેઃ “મહારાજ ! તેમાં હું શું કરું? જ્યારે હું ચૂને તથા માટી વગેરે કેળવતે હતો, ત્યારે કામદેવની રાજધાની જેવી, કિંમતી શૃંગાર ધારણ કરેલી, અમૃતની નદી જેવી, સુંદર લેાચનવાળી ગોપાલ શેઠની પત્ની તે રસ્તે થઈને નીકળી. તેને જોવામાં મારું ચિત્ત પરેવાવાથી અને મારું મગજ અસ્થિર થઈ જવાથી, આ ચૂને બરાબર કેળવાય નહિ; અને તેવા ચૂનાથી ચણેલી ભીંત તૂટી પડી, તેથી આ પુરુષરત્ન એવા ચેરનું મરણ થયું છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org