________________
૧૩૦
કથામંજરી તેનાથી સંપત્તિમાં વૃદ્ધિ થાય છે, અને ઘરમાં જે નાખીએ તેને મૂળમાંથી નાશ થાય છે.”
તેનાં આવાં વચન સાંભળીને શેઠે તેને કહ્યું કે “પહેલાં જે બની ન હોય, વર્તમાનમાં જે બનતી ન હોય અને ભવિષ્યમાં જે બને તેવી ન હોય, તેવી જે કથા મને કહે તેને હું ભેજન આપું છું.” આવી કથા કહેવાને તે ધૂર્ત અસમર્થ હોવાથી તે પિતાના યૂથમાં પાઇ ગયે. તેણે સર્વ ધૂને કહ્યું કે “આજે મેં એક શેઠ પાસે ભેજનની માગણી કરી. તેણે કહ્યું કે “જે બની ન હોય, જે બનતી ન હોય, અને બને તેવી ન હોય, તેવી જે વાર્તા મને કહે તેને હું ભેજન આપું છું. આવી કથા કહેતાં મને આવડતી નહોતી, તેથી હું પાછો આવ્યો છું. જે આવી કથા કહેવાને સમર્થ હોય તે તેની પાસે જઈને ભેજન મેળવે.”
તેણે કહેલી આ હકીકત સાંભળીને એક મહા ધૂર્ત બેલ્થ કે “તેને તેવી વાર્તા કહી સંભળાવીશ.” આવી પ્રતિજ્ઞા કરી તે શેઠ પાસે ગયા અને બેઠે. પછી કહ્યું કે
શેઠ! હમણાં મેં આ નગરમાં એક નવાઈ જેવું દેખ્યું. દશ પુરુષોથી મુશ્કેલીથી ઉપાડી શકાય તેવા એક રીંગણાને શાક બજારમાં એક પુરુષ ફક્ત પાંચ લેષ્ટિક (તે વખતનું ચલણી નાણું) વડે વેચે છે.”
આવી અપૂર્વ વાત સાંભળીને, તે જોવાને વણિકને વિચાર થયે, અને પેલા ધૂર્તને ઘરના રક્ષક તરીકે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org