________________
કથામંજરી કરનારું છે. તે પ્રમાણે જુદા જુદા શાકના જુદા જુદા ગુણને વિચાર કરીને ત્રણે દેને નાશ કરનાર લીંબડાનાં પાંદડાં લઈને તે આવ્યા.
વ્યાકરણ શાસ્ત્રી ચાખા સંધ હતા, તે વખતે હાંલ્લામાં ઉકળતા પાણીને શબ્દ “ખદબદ” સાંભળીને તે વિચારવા લાગે કેઃ અરે! રૂઢ, યૌગિક અને મિશ્રભેદથી શબ્દ ત્રણ પ્રકારના છે. તેમાં આખંડલાદિક રૂઢ શબ્દ છે. નીલકંઠાદિક યૌગિક શબ્દ છે, અને મિશ્રશ પરાવૃત્તિને સહન નહીં કરનાર ગીર્વાણ વગેરે છે. પરંતુ આ હાંલ્લીમાં થતો કલકલ શબ્દ તો સ્થાલીથી ઉત્પન્ન થએલ અપશબ્દ છે.” એમ વિચારી ક્રોધ કરીને તેણે તે માટીની હાંલી ભાંગી નાંખી.
પછી વનમાં રહેલા તે ચારે જણાએ અનાજ, પાન કે દીવા વગર આખી રાત્રી પસાર કરી. રાજાએ આપેલ આદેશ પત્ર બળદની સાથે જ ચાલ્યા ગયે, કે જે પત્ર દેખાડીને સેનું લાવવાનું હતું. રાજાએ મેકલેલા ગુમ પુરુષોએ આ બધું રાજાને કહ્યું, ચારે જણે પાછા આવીને છાનામાના પિતાપિતાને ઘેર ચાલ્યા ગયા રાજાએ મંત્રીનો સત્કાર કર્યો. છેવટે ચારે મિત્રો વ્યવહારાદિ શીખીને વ્યાપાર વગેરેમાં કુશળ થયા.
ભણવા કરતાં ગણવામાં વધારે લાભ છે. વિદ્યા સાથે વ્યવહારનું જાણપણું પ્રાપ્ત થાય ત્યારે જ મનુષ્ય સંસારિક પ્રવૃત્તિમાં કુશળ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org