SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ કથામંજરી તેથી બહુ ખુશી થઈને તેણુએ કહ્યું કેઃ “ભગવન! મારા ઉપર આપે બહુ જ કૃપા કરી. મારે બીજું શું કરવું તે કહો, અને વૈકુંઠમાં મને ક્યારે લઈ જશો. વળી મારે દાન પુણ્યાદિક શું કરવું?” આ પ્રમાણે તેણે પૂછ્યું. પિોપટે જવાબ આપે કે “ભદ્ર! આ આવતી દશમના દિવસે બધું દ્રવ્ય સુપાત્ર દાનમાં આપી દઈને, બધા પરિવારને નેકરીમાંથી છૂટા કરીને, માથું મુંડાવીને, કાજળથી મુખ શ્યામ કરીને, જીર્ણ વસ્ત્ર પહેરીને, પરજને સહિત બપોરના વખતે આ મંદિરમાં આવજે, તે વખતે મારી સમીપ રહેલા આંબાના ઝાડ ઉપર એક પોપટને તું બેઠેલે દેખીશ, તે નિશાનીવડે ઘુઘરીઓથી રણઝણાયમાન થતું કૃષ્ણનું વિમાન તરત જ અહીં આવશે એમ શ્રદ્ધાપૂર્વક માનજે.” આ પ્રમાણે કહેવાથી તેને બધી બાબતનો વિશ્વાસ આવ્યો. વેશ્યા પિતાના ઘેર ગઈ. તેણે કહ્યા પ્રમાણે બધું કર્યું. લેભીઆ ધૂતારાથી જ ઠગાય છે. દશમ આવી. વેશ્યાએ પિપટના કહ્યા પ્રમાણે બધી સામગ્રી તૈયાર કરી, મહાજન એકઠું થયું. અગાઉ કહ્યા પ્રમાણે બધું કરીને તે વેશ્યા કૃષ્ણના મંદિરમાં આવી. આખા નગરમાં તે વાત ફેલાઈ ગઈ. મધ્યાન્હ કાળ થયે, ત્યારે તે સ્થળે આખા નગરના લેકે એકઠા થઈ ગયા. તે વખતે તે પિપટ આંબાની શાખા ઉપર આવીને બેઠે. લેકોએ તેને દેખે, તેથી બધા બેલ્યા કે “અહે! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005177
Book TitleKatha Manjari Part 01
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy