________________
[ ૨૫ ] ચૈત્યવંદન કર્યા પછી બેલવાનું ભાવગીત આટલું તે આપજે ભગવદ્ મને છેલ્લી ઘડી, ના રહે પ્રભુ ના રહે માયા તણા બંધન મને છેલ્લી ઘડી. ૧ આ અંદગી મોંઘી મળી પણ જીવનમાં જાગે નહી, અંત સમય રહે અને સાચી સમજ છેલ્લી ઘડી. ના, ૨ હાથ-પગ નિર્બલ બને ને શ્વાસ છેલ્લા સંચરે, એ દયાળુ આપજે દરિશન મને છેલ્લી ઘડી. ના. ૩ જ્યારે મરણશય્યા પરે, મીચાઈ છેલ્લી આંખડી, તું આપજે ત્યારે પ્રભુમય, મન મને છેલ્લી ઘડી. ના. ૪ હું જીવનભર સળગી રહ્યો, સંસારના સંતાપમાં, તું આપજે શાંતિભરી, સમાધિ મને છેલ્લી ઘડી. ના. ૫ અગણિત અધર્મો મેં કર્યા, તન મન વચન જોગે કરી, હે ક્ષમાસાગર ક્ષમા મને, આપજે છેલ્લી ઘડી. ના, ૬ અંત સમયે આવી મુજને, ના દમે ઘટ દુશમને, જાગૃતપણે મનમાં રહે, સાચી સમજ છેલ્લી ઘડી, ના રહે પ્રભુ ના રહે માયા તણા બંધન મને છેલ્લી ઘડી, આટલું તે આપજે ભગવાન મને છેલ્લી ઘડી. ના. ૭
Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org