________________
પાઠ સંગ્રહ
૨૯૫
મરણની કારમી વેદનાઓ સદાકાળ રહ્યા કરે છે. પ્રભુ ! જેમ મદઘેલે ગજરાજ મલિન કાદવમાં આળોટે છે તેમ આ ભાન ભૂલ્ય આત્મા પિતાનું શુદ્ધ સ્વરૂપ ભૂલીને કર્મના કાદવમાં સદાકાળ રામ્યા કરે છે. પરમાત્મન
એ મલિન કર્મકીચમાંથી મારા આત્માને નિસ્તાર કરો ! - સ્વામી ! કરુણાના સાગર એવા આપે જગતને કલ્યાણ માગ ઉપદેચે છે. આત્મઋદ્ધિથી વિમુખ બનેલા સંસારને આપે અનંત આત્મલક્ષ્મીનું દર્શન કરાવ્યું છે. એ આત્મલક્ષ્મીએ અનેક આત્માઓને સમૃદ્ધ બનાવી તેમને ઉદ્ધાર કર્યો છે. નાથ ! મારા કર્મદારિદ્રયને નાશ કરીને મને એ આત્મલક્ષ્મીનું દાન કરે !
નાથ ! આપે શેધેલી એ આત્મલક્ષમીનું Jain Education Internationativate & Personal Use Dinly.jainelibrary.org