________________
૨૯૪
શ્રી જેન નિત્ય
[૯] રત્નત્રયી ગુણ ઉજળી, સકલ સુગુણ વિશ્રામ; નાભીકમળની પૂજના, કરતાં અવિચળ ધામ. હે મંગલમય પરમાત્મન !
અનાદિકાળથી આત્મભાન ભૂલેલે આ આત્મા પુદ્ગલનો સંગી બની પરભાવમાં રાચ્યા કરે છે. એણે પિતાનું સ્વરૂપ વિસારી મૂકયું છે. અજ્ઞાનનાં આવરણએ એના જ્ઞાનભાનુને ઢાંકી દીધું છે; સંશય અને સંદેહની કાલિમાએ એને શ્રદ્ધા ગુણને આવરી લીધે છે અને સંસારમાં નિરંતર ભેગવવાં પડતાં સુખદુઃખનાં ઘેરાં વાદળાએ એના નિજાનંદનું તેજ હણું દીધું છે. પ્રભુ ! આ બધી અનાદિ કાળથી વળગેલાં કર્મની રચના છે. એ જડ કમને વશ બનેલો આ આત્મા પિતાના ચેતન ભાવને વિસરીને ગર્ભાવાસ, જન્મ અને Jain Education Internationativate & Personal Use www.jainelibrary.org