________________
પાઠ સંગ્રહ
૨૭૫
ગતિના તાપને શાંત કરે એવી પંચમ ગતિની શોધ પૂરી કરી. એ શોધે ત્રણે લેકમાં આથડતા આત્માની અસ્થિરતાનો અંત આ. નાથ ! આપની એ પંચમગતિની–મેક્ષની શોધે આત્માને સ્થિરતા મેળવી આપી. સ્વામી ! એ પરમપદ પામીને આત્મા સ્વસ્વભાવને મેળવીને સદા આનંદ મગ્ન રહેવા લાગ્યા.
પ્રભુ! ચારેગતિ અને ત્રણે લોકથી ચઢિયાતા પરમપદની શોધ કરીને સમગ્ર લેકના અગ્રભાગ ઉપર આ૫ આત્મભાવમાં લીન થઈને બિરાજમાન થયા છે ! આપ સૌથી શ્રેષ્ઠ સ્થાનને પામ્યા છે, તેથી હું આપના શરીરમાં સૌથી ઊંચી એવી આપની શિરશિખાની ભાવથી પૂજા કરું છું !
આપના પગલે અસંખ્ય આત્મા એ પરમપદને પામ્યા છે. પ્રભુ! મને પણ એ પરમપદનો માર્ગ મળજે. Jain Education Internationalivate & Personal Use burly.jainelibrary.org