SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯ વાત અસંગત છે, અહીં આચાર્ય મહારાજ બિરાજે છે. તેથી મારે જવાબ આપે એ અનુચિત છે, આચાર્ય મહારાજ પોતે જ જવાબ આપશે. આચાર્ય મહારાજે જવાબ આપે. “હે મહાબ્રાહ્મણ! આ કુમાર જન્માંતરના અભ્યાસથી કલ્યાણ-ભાવનાથી ભાવિત મતિવાળે છે. લઘુકમી થઈ વીતરાગના વચન સાંભળવાથી પ્રગટ થયેલા ક્ષયે પશમ ભાવથી, યથાર્થ તત્વજ્ઞાન ઊપજવાથી ભવસ્વરૂપને જાણીને વૈરાગી બને છે, નહિ કે કોઈએ તેને ભરમાવ્યું છે. ” પિગલકે કહ્યું- હે ભગવંત મધુપિંગ નામે મારા દાદા હતા. તે હિંસા-જુઠ આદિ પાપમાં રત હતા. તમારા મત પ્રમાણે તે નરકમાં ગયા હશે? મારા ઉપર તેમને અત્યંત નેહ હતો, તે પછી તેઓ અહીં આવી મને નિવારણ કેમ કરતા નથી! ભગવંતે કહ્યું, “સાંભળ, જેમ કે ઈ મહા ગુને કરનાર રાજાના હુકમથી પકડો હેય, લેઢાની સાંકળથી જકડાય, ઘેર અંધકારવાળા કેદખાનામાં પરાધીન બનેલે, તે સગાસંબંધીને જેવા પણ સમર્થ બની શકતા નથી. તે પછી શિખામણ આપવાની શી વાત કરવી! એવી રીતે નારકી છ પણ ભયંકર પાપે કરી પ્રચંડ પરમાધામી અસુરે વડે જકડાયેલા અંધકારવાળી નરકમાં પરતંત્ર બનેલા કેવી રીતે બહાર નીકળી શકે ! અને તેને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005171
Book TitleSamaraditya Kevali
Original Sutra AuthorN/A
AuthorChidanandsuri
PublisherJain S M Sangh Nandarbar
Publication Year
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy