SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ બીજું પારણું પણ ચૂક્યા અગ્નિશર્મા તે ત્યાગ અને સમતાના આદર્શને વરેલે હતે. તે માનતે હતું કે ત્યાગથી પરલેક સુધરશે. એણે પિતાના ગુરૂજીના વચનને માન્ય રાખી મા ખમણ પૂરું થતાં ફરીથી રાજાને ત્યાં પારણું કરવા જવાનું સ્વીકાર્યું. એટલે રાજા ખુશ થઈ વસંતપુર નગરમાં પાછો ફર્યો. બીજા પારણે રાજાને જાસૂસએ ખબર આપી કે માનભંગ નામના એક દુમન રાજાએ ગુણસેનની સેના પર રાત્રે છાપ માર્યો છે. ગુસ્સાથી રાતા પીળા રાજાએ તરત જ દુશ્મનને પ્રતિકાર કરવાની આજ્ઞા કરી, યુદ્ધ માટે તૈયાર થઈ રાજા ખુદ રથમાં સેના સાથે લડવા નીકળી પડ્યો. તે વખતે દુર્ભાગ્યે અગ્નિશર્મા તાપસ બીજા પારણુ માટે મહેલના દરવાજે આવી પહોંચે. અને થોડો સમય રોકાયે. અહીં યુદ્ધની તૈયારી અને લશ્કરની ભીડ જેઈ. વળી, કેઈને સત્કાર માટે ન જેવાથી એ તે આવ્યો તે પાછા તપોવનમાં ચાલી ગયે. હાય, વિધિની વક્રતા! બીજી વખતે પણ પારણું ન થઈ શક્યું. તાપસ પાછો ફર્યો છે એ સમાચારથી ઉદ્વિગ્ન બનેલા ગુણુસેન રાજાએ યુદ્ધમાં પ્રયાણ કરવાને બદલે રથ તપોવનમાં તાપસને નિમંત્રણ આપવા હંકારવા આદેશ આપ્યો. ત્યાં તાપસનાં દર્શન કરી રાજાએ ફરીથી પાર માટે પિતાના મહેલમાં પધારવાની વિનંતી કરી, પણ તાપસને તે ફરીથી ન જવાને અભિગ્રહ હતું. એટલે રાજાને વિલે મેં એ ન છૂટકે નિરાશ થઈ પાછું જવું પડયું તાપસ પોતાની પ્રતિજ્ઞા (અભિગ્રહ) તેડવા તૈયાર ન હતું. પણ ત્રીજા માસખમણનું પારણું રાજાને ત્યાં કરવાનું વચન આપી રાજાને શાંત પાડ્યો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005171
Book TitleSamaraditya Kevali
Original Sutra AuthorN/A
AuthorChidanandsuri
PublisherJain S M Sangh Nandarbar
Publication Year
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy