SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૨ સાધુઓએ તમને જિનેશ્વર ભગવતેએ ફરમાવેલ ધર્મ સંભળાવ્યું. તમે બંનેએ તે ધર્મ સ્વીકાર્યો, મોક્ષ સુખના કારણભૂત એ નમસ્કાર મંત્ર પણ તમને આપ્યું. અને તમને શીખવ્યું કે પંદર દિવસમાં એક દિવસ બધા પાપવાળા આરંભનો ત્યાગ કરી એક જ સ્થળે બેસી નમસ્કાર-મંત્રનું સ્મરણ કરવું. અને કેઈ ઉપસર્ગ આવે તે પ્રતિકાર ન કરે. એક દિવસ તમે બંનેએ એક સ્થાને બેસી આરાધના શરૂ કરી. એટલામાં એક દૂર સિંહ ત્યાં આવ્યું. તે તરત જ હાથમાં ધનુષ લીધું, પણ શ્રીમતીએ ગુરુ-વચન યાદ કરાવ્યું, કે આપણે એને પ્રતિકાર ન કર. સિહે તમારા બંને ઉપર હુમલે કર્યો. વિશુદ્ધ ચિત્તવાલા તમે બંને ગુરુ ઉપદેશનું પાલન કરી સમાધિથી મરણ પામી સૌધર્મદેવલેકમાં ઉત્પન્ન થયાં. - સૌધર્મ દેવલેકમાંથી આયુ પૂર્ણ કરી પશ્ચિમ મહાવિદેહમાં તમો બંને સમરમૃગાંક અને અશોકદેવી નામે રાજા-રાણી થયાં. તે પૂર્વના ભિલના ભાવમાં ઘણું જીવને સંહાર કરેલ, તે કર્મના ઉદયથી શ્રીબળ નામના રાજાના હાથથી યુદ્ધમાં તું મરાયે, અને રૌદ્ર ધ્યાનથી મારીને તું સત્તર સાગરોપમના આયુષ્યવાળે નારકી થયે. - તારી રાણી અશકદેવીએ તારા સ્નેહમાં મહિત બની નિયાણું કર્યું કે “જે સ્થાનમાં મારા પતિ ઉત્પન્ન થયા હોય, ત્યાં જ હું ઉત્પન્ન થાઉં.” આવું નિયાણું કરી કિલષ્ટ ચિત્તવાળી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005171
Book TitleSamaraditya Kevali
Original Sutra AuthorN/A
AuthorChidanandsuri
PublisherJain S M Sangh Nandarbar
Publication Year
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy