SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ સિદ્ધાચલજી યાત્રાના સ્થળે–પ્રસંગો (૫) રામ અને ભરતઃ [ગિરિરાજની યાત્રામાં વચ્ચે જૂનો રસ્તો આવે છે. ત્યાં ભૂખણદાસ કુંડથી આગળ પાંચ મૂતિમાં પહેલી, બીજી રામ ભરતની છે.] રામ અને ભરત બંને દશસ્થ રાજાના પુત્રો હતા. યુદ્ધમાં વાસુદેવ લક્ષમણનું મૃત્યુ થયા બાદ રામને ઘણો આઘાત લાગ્યા. ગુરૂદેવ પાસે પ્રતિબોધ પામી રામ અને ભરતે દીક્ષા અંગીકાર કરી, અનુકમે વિહાર કરતાં શ્રી શત્રુંજય તીર્થે પહોંચ્યા. ત્યાં અનશન કરી ત્રણ કરોડ મુનિ સાથે મેસે ગયા. રામ ભરત બિહું બાંધવા, ત્રણ કેડિ મુનિ યુત, તે તીર્થેશ્વર પ્રણમી, ઈણ ગિરિ શિવ સંપત. (૬) થાવસ્થા પુત્ર : [સિદ્ધાચલજી યાત્રામાં જૂને રસ્તે ભુખણદાસ કુંડ આવે છે. ત્યાં ઊંચા ઓટલા પર એક દેરીમાં પાંચ મૂતિ છે, તેમાં ત્રીજી મૂતિ થાવગ્રા પુત્રની છે.] દ્વારિકા નગરીમાં થાવરચા પુત્રના બત્રીસ કન્યા સાથે લગ્ન થયેલા. અત્યંત સુખમય જીવન જીવી રહ્યો છે. ભોગને આનંદ જ જાણ્યો છે. ત્યાગમાં આનંદ હોઈ શકે તે ખબર જ નથી. નેમિનાથ ભગવંતની વાણી સાંભળી વૈરાગ્ય પામી ૧૦૦૦ પુરુષ સહિત દીક્ષા લીધી. શૈલક નગરના રાજાને પ્રતિબંધ કર્યો. શ્રાવક બનાવ્યા. [કે જે શૈલકે પછી શુક પરિવ્રાજકના ઉપદેશથી દીક્ષા લીધી. શૈલકાચાર્ય બન્યા, ૫૦૦ શિષ્ય સાથે સિદ્ધગિરિ પર અનશન કરી મેક્ષે ગયાતેની પણ અહીં જ મૂર્તિ છે. બીજા શુક પરિવ્રાજકને પ્રતિબોધ્યા તે પણ ૧૦૦૦ મુનિ સાથે સિદ્ધગિરિ પર મેક્ષે ગયા. થાવરચા પુત્ર પણ ૧૦૦૦ મુનિ સાથે અનશન કરી આ ગિરિ પર મેસે ગયા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005166
Book TitleSiddhachal no Sathi Bhav Yatra Sahit
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year
Total Pages102
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy