SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ સિદ્ધાચલ ભાવયાત્રા ના (૧૧) શ્રેયાંસનાથના ૭૬ (૧૨) વાસુપૂજ્યના (૧૩) વિમલનાથના પ૭ (૧૪) અનંતનાથના (૧૫) ઘર્મનાથના ૪૩ (૧૬) શાંતિનાથના (૧૭) કુંથુનાથના ૩૫ (૧૮) અરનાથના (૧૯) મલ્લિનાથને ૨૮ (૨૦) મુનિસુવ્રતના (૨૧) નમિનાથના ૧૧ (૨૨) નેમિનાથના ૧૭ (૨૩) પાર્શ્વનાથના ૧૦ (૨૪) મહાવીર સ્વામીના ૧૧ એવા ૧૪પર ગણધરના પગલાને ભાવભરી વંદના કરું છું. 3 ત્યાંથી ચાલતા કહેવાતા સીમંધર સ્વામીજીનું મંદિર આવ્યું. ત્યાં મૂળનાયક શ્રી આદિશ્વર ભગવંતને મારા નમસ્કાર. બહાર મંડપ રહેલા સર્વે પ્રતિમાજીને વંદના. [] બહાર અમકાદેવી (અંબિકા દેવી)ને પણ ધર્મ આરાધનામાં સહાયક બને તેવી પ્રાર્થના કરું છું. પરંપરા મુજબની બીજી પ્રદક્ષિણે હવે હું શરૂ કરું છું. સર્વ પ્રથમ નવા આદિનાથ પ્રભુનું મંદિર આવ્યું. ત્યાં આદિશ્વર પરમાત્માને તથા અન્ય સર્વે જિનબિંબને નમસ્કાર કરું છું. [] ત્યાંથી બહાર નીકળતા ચકીયાળાના બાજુમાં પગલાંની દેરીઓ છે. તે સર્વે પગલાંજીને હું મસ્તક નમાવું છું. [] દેરીઓની બાજુમાં નાના ખાંચામાંથી જતા મેરુ. આવે છે. ત્રણ વન યુક્ત એવા સુંદર આરસપહાણના આ મેરુની યુલિકા પર રહેલા ચાર જિનબિંબને મારા નમસ્કાર. [] ત્યાંથી ભમતિમાં દર્શન કરતા કરતા આગળ વધતા હવે સમવસરણનું દહેરાસરજી આવ્યું. ત્યાં રહેલા જિનબિંબ હું ભાવથી નમસ્કાર કરું છું. . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005166
Book TitleSiddhachal no Sathi Bhav Yatra Sahit
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year
Total Pages102
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy