________________
[૩૫]. | ઓગણીસમું શ્રી નિરયાવલિકા ઉપાંગ સૂત્રનું પૂજના
આશા દાસી વશ પડ્યા, જડ્યા કર્મ જંજીર પરિગ્રહ ભાર ભરે નર્યા, સહે નરકની પીર / ૧ /
/ મધુકર માધવને કહેજો -એ દેશી II
પરિગ્રહ ભાર ભર્યા પ્રાણી. પામે અધોગતિ દુઃખખાણી II જસ મતિ લોભે લલચાણી રે ! ચેતન ચતુર સુણો ભાઈ, લોભ દશા તો દુઃખદાયી રે { ચેતન) | ૧ | લોભે લાલચ જાસ ઘણી, પરિણતિ નીચી તેહ તણી, લટપટ કરે ભહુ લોક ભણી રે / ૨૦ / લો૦ | ૨ લોભી દેશ વિદેશ ભમે, ઘન કારણ નિજ દેહ દમ, તડકા ટાઢનાં દુઃખ ખમે રે | ૨૦ | લો૦ / ૩ / લોભે પુત્ર પિતા ઝગડે, લોભે નરપતિ રહે વગડે, લોભે બંધવ જોર લડે રે ! ૨૦ X લો૦ | ૪ | હાર હાથી લોભે લીનો, કોણિકે સંગર બહુ કીનો, માતામહને દુઃખ દીનો રે || ૨૦ | લો૦ ૫ લોભારંભે બહુ નડિયા, કાલાદિક નરકે પડિયા, નિરયાવલિ પાઠે ચડિયા રે ૨૦ | લો. દ લોભ તજી સંવર કરજે, ગુરુપદ પવને અનુસરજો, રૂપવિજય પદને વરજો | ૨૦ | લો૦ | ૭ |
– મધુર સ્વરે ઉપરની પૂજા ભણાવવી – પછી થાળી ડંકો વગાડતા પ્રદક્ષિણા ક્રમે આગમ છોડ -૧૯- પાસે જવું.
ત્યારે સંગીતકાર ઓરગન કે કેસીયો ઉપર જુદી જુદી તર્જ વગાડે – ૩૪હીં શ્રી નિરયાવલિકા ઉપાંગ સૂત્રાય નમો નમઃ સ્વાહા – આમંત્ર બોલી આગમ પધરાવો – પછી પ.૧૩ થી ૧૬ ઉપર આપેલી વિધિમુજબ દુહા અથવા મંત્ર બોલીને
આગમપૂજન કરાવવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org