________________
એક નવકારથી ઉથાપે આ પ્રમાણે એક પાટલીની વિધિ કહી.
હવે બીજી જો જોડે કરવી હોય તો ખમાસમણ દઈ અવિધિ આશાતના મિચ્છામિદુક્કડ ન દેવો પરંતુ ઇચ્છાકારેણ સંદિસહ મુહપત્તિ પડિલેહું? ઇચ્છે કહી મુહપત્તિ પડિલેહી ઉપર કહ્યા પ્રમાણે વિધિ કરવી ને જો બે પાટલી કરી પાટલી ઉથાપવી હોય તો ખમા) અવિધિ આશાતના મિચ્છામિદુક્કડં કહી નવકારથી ઉથાપવી અને જો ત્રીજી ભેગી કરવી હોય તો ખમાસમણ દઈ અવિધિ આશાતના મિચ્છામિ દુક્કડમ્ બોલ્યા વગર મુહપત્તિનો આદેશ માંગી મુહપત્તિ પડિલેહી ઉપર કહ્યા પ્રમાણે કરતાં સક્ઝાય પડિક્કમાવણિનો કાઉસ્સગ્ન કરીને નવકાર કીધા પછી.
ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ પભાઈ (જે કાલ હોય તે બોલવો) કાલ પડિક્કમ? ઇચ્છે, કહી ખમાસમણ દઇ ઇચ્છાકારેણ સંદિસહ પભાઈ કાલ પડિક્કમાવણિ કાઉસ્સગ્ન કરૂં? ઇચ્છે, પભાઈ કાલ પડિક્કમાવણિ કરેમિ કાઉસ્સગ્ગ, અન્નત્થ કહી નવકારનો કાઉસ્સગ્ન કરે પછી નમો અરિહંતાણં બોલ્યા વગર પ્રગટ નવકાર કહે. પછી ખમાસમણ દઈ અવધિ આશાતના મિચ્છામિદુક્કડં કહી જમણો હાથ સવળો રાખી નવકારથી પાટલી ઉથાપે.'
ઇતિ કાલમાંડલાં (પાટલી)ની વિધિ.
૧ રાત્રીના બે કાલગ્રહણ હોય તો બે સઝાય પઠાવ્યા પછી અનુષ્ઠાન કરે તે કર્યા પછી એક સક્ઝાયને તે પછી ત્રણ પાટલી કરવી તેમાં ત્રીજી પાટલીમાં વાઘાઈનો આદેશ માગવો ત્યારબાદ બે સક્ઝાય પઠાવીને બે પાટલી કરવી તેમાં અદ્ધરત્તિનો આદેશ માગવો અને સવારે બે કાલગ્રહણ હોય તો ત્રીજી પાટલીએ વિરતિને છેવટની બીજી પાટલીએ પભાઈ આવે, એક કાલગ્રહણમાં ત્રણ પાટલીને ત્રણ સક્ઝાય આવે, બે કાલગ્રહણમાં પાંચ સક્ઝાય ને પાંચ પાટલી આવે, રાત્રીનાં વાઘાઈ ને અદ્ધરત્તિનું અનુષ્ઠાન, સક્ઝાય, પાટલી રાત્રે જ થઇ જાય, રાત્રે કે દિવસે એક એક જ કાલગ્રહણ હોય તો સક્ઝાય પાટલી ત્રણ ત્રણ કરવી, એકલો ઉદ્દેશ, એકલો સમુદેસ કે એકલી અનુજ્ઞામાં પભાઈ કાલગ્રહણ જ આવે.
(૧૧૯)
વિધિસંગ્રહ-૧-(કાઠમાંડલા (પાટલી)ની વિધિ)
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org