________________
(૧૦૪)
વિધિસંગ્રહ-૧-(કાલગ્રહીનો વિધિ) ઈરિયાવહી પડિક્કમે દાંડીઘર ડાબી બાજુએ રહે, કાલગ્રહી જમણી બાજુએ રહે.
દાંડીઘર જ્યારે પાટલી કરીને લઈ ઉભો થાય ત્યારે તેને કાલગ્રહીએ દસ બોલથી દંડાસણ પંજી હાથમાં લઈ જગ્યા પુંજી આપવી, પછી કાલગ્રહી માંડલાં કરે તેમાં દરેક કાલગ્રહણનાં સાત સાત વખત માંડલાં ૪૯ કરે, | (દાંડીઘર જ્યારે દિશાવલોક હોય છે ? એમ કહે ત્યારે) કાલગ્રહી કહે હોય છે. કાલગ્રહી પણ એક નવકારથી ઉભા ઉભા પાટલી થાપે. (દાંડીઘર જ્યારે પભાઇ કાલ સ્થાપું ?) એમ કહે ત્યારે કાલગ્રહી કહે સ્થાપો.
| (દાંડીઘર દાંડી લઈ મુઠીવાળી ઉભો થાય) ત્યારે કાલગ્રહી પણ દાંડીઘરની સાથે એક નવકાર ગણે પછી દાંડીઘર કાલગ્રહી બન્ને સાથે ખમાસમણ દે, | (દાંડીધર જ્યારે પભાઈ કાલ પડિઅરૂ?) કહે ત્યારે કાલગ્રહી કહે પડિઅરો. પછી કાલગ્રાહી મર્થીએણવંદામિ આવસ્સીઆએ ઈચ્છે “આસજ્જ, આસ. આસજજ, નિસાહિ” એમ ત્રણ વાર બોલતો બોલતો પૂર્વ દિશા તરફ જાય” છેવટ નમો ખમાસમણું કહી કાલગ્રહી ત્યાં ઉભો રહે.
દાંડીઘર આવ્યા પછી કાલગ્રહી, મર્થીએણવંદામિ આવસ્તીઆએ ઈચ્છે “આસજ્જ, આસજ્જ, આસજ્જ, નિશીહિ' (એમ ત્રણવાર) કહેતો પાટલી તરફ જાય, છેવટ નમો ખમાસમણાણે કહે.
ત્યાં ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ ઈરિયાવહીયે પડિક્કમામિ ? ઈચ્છે ઈચ્છામિ પડિ) ઈરિયાવહી પડિક્કમિ0 એક નવકારનો કાઉસગ્ગ કરી નમો અરિહંતાણં બોલ્યા વગર ઉપર નવકાર એક કહે.
ખમાસમણ દઈ, ઈચ્છાકારેણ સંદિસહ મુહપત્તિ પડિલેહુ? ઈચ્છું કહી મુહપત્તિ પડિલેહી, બે વાંદણાં દેવા.
૧. પડીક્કમણું કર્યા પછી તુરત જ વાઘાઈ કાલગ્રહણ લેવાય તે વખતે વાંદણાંમાં દેવસિય શબ્દ બોલવો અને અદ્ધરત્તિ કાલગ્રહણ પોરીસી ભણાવ્યા પછી લેવાય એટલે અદ્ધરત્તિ, વિરતિ અને પભાઈમાં વાંદણાં વખતે રાઈય શબ્દ બોલવો.
કાલગ્રહણમાં જે નામનું કાલગ્રહણ હોય તે નામ દરેક સ્થાને ફેરવવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org