________________
[7]
ઉપાધ્યાયજી વિનયવિજયજી મ.ની કરેલી એકદમ ટુંક નામ-નિર્દેશન રૂપ અનુક્રમણિકા તથા પ્રશસ્તિ છે.
આનું ભાષાંતર સુશ્રાવક કુંવરજીભાઈ આણંદજી શાહે કરેલું છે. મૂળ હિન્દી લીપી અને વિશાળકદ હોવાથી વાંચનમાં સગવડતા રહે તેથી ગુજરાતી લીપી-છૂટા શ્લોકો કર્યા અને વિશેષ યંત્રો પણ ઉમેય હતા; તે આ આવૃત્તિમાં તે જ રીતે લીધા છે.
આ ગ્રંથમાં ક્યા વિષયો છે ? તેનું ટુંક વિવરણ મારા લઘુ ગુરૂબંધુ મુનિશ્રી હેમપ્રભાવિજયજીએ લખેલ તે આ સાથે જ આપેલું છે.
જ્યારે પ્રથમ આવૃત્તિ પૂર્ણ થઈ ગઈ અને મહાત્માઓ પાસેથી માંગ આવતી જ રહી ત્યારે આ ગ્રંથની ઉપયોગીતા સમજીને ફરી પ્રિન્ટ કરાવવાનું વિચારાયું અને તેમાં પૂર્વમાં રહી ગયેલી ત્રુટીઓને દૂર કરવા માટે ફરીથી તપાસવામાં આવ્યું, યોગ્ય સુધારા-વધારા કરાયા... મૂળ શ્લોકો માટે..
પંડિત શ્રી જીતુભાઈએ ફ્લોપી મેળવી આપી જેથી શ્લોક શુદ્ધિમાં પણ અનુકૂળતા થઈ..
ઘણા ચિત્રો આચાર્ય શ્રીમદ્ વિજય ચશોદેવસૂરીશ્વરજી મહારાજા તરફથી પ્રકાશિત બૃહતું સંગ્રહણી ગ્રંથમાંથી લીધા છે. તેથી તેમનો આ તકે આભાર માનું છું....
૨૧૦૦૦ શ્લોક તથા હજારથી ઉપર નાના-મોટા આગમપાઠોથી યુક્ત આ પાંચ ભાગઆજે ઉપકારી પૂજ્યપાદ્ ગચ્છાધિપતિ, આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી
મહારાજ,
પરમ પૂજ્ય ઉપકારી પરમ ગુરૂદેવ પંન્યાસ પ્રવર શ્રી ભદ્રંકરવિજયજી ગણિવર્ય.
પરમ પૂજ્ય, ઉપકારી, મારી સંયમ યાત્રામાં પ્રાણપૂરનાર, તપસ્વી, મુનિરાજ શ્રી મહાભદ્રવિજયજી મહારાજ,
પરમ પૂજ્ય, ઉપકારી, નિઃસ્પૃહી આચાર્યદિવ શ્રી પ્રદ્યોતનસૂરીશ્વરજી મહારાજ તથા પરમ પૂજ્ય ઉપકારી ગુરૂ મહારાજ આચાર્યદેવ શ્રી કુંદકુંદસૂરીશ્વરજી મહારાજના કર-કમલોમાં સમર્પિત કરતાં આનંદ અનુભવું છું.
આ ગ્રંથના અધ્યયન દ્વારા કર્મનિર્જરા કરી દર્શન-જ્ઞાન-ચારિત્ર રૂ૫ આત્મગુણને પ્રકટ કરીને આપણે સૌ જલ્દી મુક્તિગામી બનીએ એજ એક શુભાભિલાષા.
૫. વજસેન વિજય ગણિ.
વિ. સં. ૨૦૪૬ કારતક સુદ-૧ માંડવી (કચ્છ) - બીજી આવૃત્તિ વિ. સં. ૨૦૫૩ અમદાવાદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org