________________
શ્રાવકની ઉત્પત્તિ
एवं विबोध्यमानस्तै-र्भरतेशोतरांतरा । संवेगं याति कर्माणि श्लथानि कुरुते ततः ॥ १९६ ॥ यथेच्छमप्रयासेन भोक्तव्यमिति भूरिशः । ख्यापर्यतः श्रावकं स्वमभूवन् भोजनार्थिनः ॥ १९७ ॥ ततश्च तावता भोज्य-मुपस्कर्तुमनीश्वराः । व्यजिज्ञपन्नरेंद्राय सूदास्ते विनयानता ॥ १९८ ॥ न विद्यो जनबाहुल्यात्कः श्राद्धोऽत्र परश्च कः । ततश्चेत्यादिशद्राजा भोज्यास्ते प्रश्नपूर्वकं ॥ १९९ ॥ अप्राक्षुस्तेऽथ चेद्युयं श्रावकास्तर्हि कथ्यतां । कः श्राद्धधर्मः किं तत्त्व-त्रयं रत्नत्रयं च किं ॥ २०० ॥ अजानतो निराकृत्य जानतस्तांश्च चक्रभृत् । रत्नेन काकिणीनाम्ना चक्रे रेखात्रयांकितान् ॥ २०१ ॥ षष्ठे षष्ठे च मास्येवं तत्परीक्षां नृपोऽकरोत् । ततस्ते माहना जाताः पर्यंतात्तमहाव्रताः ॥ २०२ ॥
છે. હું કષાયોથી જિતાયેલો છું અને તેનાથી જ ભય વધે છે.” ૧૯૪-૧૯પ.
આ પ્રમાણે આંતરે આંતરે બોધ પામતો ભરત સંવેગને પામે છે અને કમને શિથિલ કરે છે. ૧૯૬.
અહીં ભરતરાજાએ શ્રાવકોને યથેચ્છપણે પ્રયાસ કર્યા વિના અહીં જમવું' એમ વારંવાર કહેલું હોવાથી ભોજનાથી એવા ઘણા મનુષ્યો પોતાને શ્રાવક કહેવરાવીને જમવા આવવા લાગ્યા. ૧૯૭.
તેથી તેટલાઓનું ભોજન રાંધવામાં અસમર્થ થવાથી વિનયથી નમ્રપણે રસોઈયાઓ ભરતચક્ર પાસે આવી વિજ્ઞપ્તિ કરવા લાગ્યા. કે- હે સ્વામી ! ઘણા માણસો જમવા આવવાથી અમે સ શકતા નથી કે આમાં શ્રાવક કોણ છે અને અન્ય કોણ છે ?” ત્યારે ભરતચક્રીએ આજ્ઞા કરી કે – ‘તમારે તેમને અમુક પ્રશ્નો પૂછીને પછી જમાડવા.' ૧૯૮-૧૯૯.
'એટલે તેઓ જમવા આવનારને પૂછવા લાગ્યા કે - “જો તમે શ્રાવક હો, તો કહો શ્રાવકધર્મ શું ? તત્ત્વત્રય ને રત્નત્રય શું ?” ૨૦૦. .
આ પ્રશ્નોનો જવાબ જે ન આપી શકે તેને દૂર કરીને, જે બરાબર ઉત્તર આપે તેને ચક્રવર્તી પાસે મોકલતા. ચક્રી તેને કાકિણીરત્નવડે ત્રણ રેખા કરીને અંકિત કરવા લાગ્યા. ૨૦૧.
પછી ચકી છ-છ મહીને આ પ્રમાણે પરીક્ષા કરવા લાગ્યા. તેમાં પાસ થનારાઓ માહન’ થયા અને પયંત તેઓમાંના કેટલાક મહાવ્રતના ધારણ કરનારા (મુનિ) થયા. ૨૦૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org