________________
૩૪૦
ભાવલોક સર્ગ - ૩૬ यद्वा कषायग्रहणा-द्धास्यादीनां परिग्रहः ।
सावयत्सिहचाराच्च कषायनोकषाययोः ॥ ६९ ॥ इत्यर्थतस्तत्त्वार्थवृत्ती. कर्मग्रंथवृतावप्युक्तं-ननु निद्रापंचकसातादिवेदनीयरत्यरतिप्रभृतयः प्रभुततरभावा अन्येऽपि कर्मोदयजन्याः संति, तत्किमित्येतावंत एवेति निर्दिष्टाः ? सत्यं, उपलक्षणत्वादन्येऽपि दृष्टव्याः, केवलं पूर्वशास्त्रेषु प्राय एतावंत एव निर्दिष्टा दृश्यंते, इत्यत्राप्येतावंत एवास्माभिः प्रदर्शिता इति.
जीवत्वमथ भव्यत्व-मभव्यत्वमिति त्रयः । स्युः. पारिणामिका भावा नित्यमीद्दक्स्वभावतः ॥ ७० ॥ यदभव्यो न भव्यत्वं भव्यो वा नैत्यभव्यतां । कदाप्यजीवा जीवत्वं जीवो वा न ह्यजीवताम् ।। ७१ ।। जीव एवात्र जीवत्व स्वार्थिकः प्रत्ययो ह्ययं । भाविसिद्धिर्भवेद्भव्यः सिद्धयनर्हस्त्वभव्यकः ॥ ७२ ॥ भावः संति परेऽप्यस्ति-त्वादयः पारिणामिकाः । किंतु जीवाजीवसाधा-रणा इत्यत्र नोदिताः ॥ ७३ ।।
રીતે વેદોદયને વધારનારા છે. ૬૮.
અથવા ચાર કષાય ગ્રહણ કરવાથી હાસ્યાદિ ષકનો તેમાં સમાવેશ કરી લેવો. કારણ કે કષાય અને નોકષાયનું સાવર્ણપણું અને સહચારીપણું છે. ૬૯.
આ પ્રમાણે અર્થથી તત્ત્વાર્થવૃત્તિમાં કહેલ છે કર્મગ્રંથની વૃત્તિમાં પણ કહ્યું છે કે નિદ્રાપંચક, સાતાદિ વેદનીય, રતિ-અરતિ વિગેરે ઘણા ભાવે બીજા પણ કર્મોદયજન્ય છે, તે છતાં આટલા (૨૧) જ ઔદયિકભાવ કેમ કહ્યા છે ? તેનો ઉત્તર આપે છે કે, ‘તારું કહેવું સત્ય છે, પરંતુ ઉપલક્ષણથી બીજા ભેદો પણ ગ્રહણ કરી લેવા કેવળ પૂર્વ શાસ્ત્રોમાં પ્રાયઃ આટલા જ ભેદ બતાવ્યા છે તેથી અમે પણ અહીં તેટલા જ ભેદ કહ્યા છે.'
હવે જીવત્વ, ભવ્યત્વ અને અભવ્યત્વ એ ત્રણ ભેદ, નિરંતર એવો સ્વભાવ હોવાથી પારિણામિક ભાવના કહેલા છે. ૭૦.
કારણ કે અભવ્ય કદાપિ ભવ્ય થતો નથી, ભવ્ય અભવ્ય થતો નથી, અજીવ જીવત્વ પામતો નથી અને જીવ અજીવત્વ પામતો નથી. ૭૧.
જીવ તે જ જીવત્વ એ રીતે અહીં સ્વાર્થમાં વ પ્રત્યય સમજવો. જેની ભાવિકાળે સિદ્ધિ થવાની છે, તે ભવ્ય અને જે સિદ્ધિને અયોગ્ય છે, તે અભવ્ય જાણવા. ૭૨.
અસ્તિત્વાદિ બીજા પણ પારિણામિક ભાવ છે, પરંતુ તે જીવ અને અજીવને સાધારણ હોવાથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org