SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ કાલલોક પ્રકારાકીય પરમ પૂજ્ય, પરમ શાસનપ્રભાવક, કલિકાલકલ્પતરુ, ગચ્છાધિપતિ, આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના અંતરના આશીર્વાદથી પ્રારંભાયેલ આ જૈનદર્શનના અભૂતપૂર્વ પ્રથ, લોકપ્રકાશનો ચોથો ભાગ, કાલલોકપ્રકાશ (પૂર્વાર્ધ)નું પ્રકાશન કરવાનો અમને લાભ મળ્યો, તે માટે અમો ખૂબ આનંદિત છીએ. - પરમ પૂજ્ય ઉપાધ્યાયજી શ્રી વિનયવિજયજી મહારાજા પૂિજ્યશ્રીનું જીવન ચરિત્ર પ્રથમ ભાગમાં આપેલ છે.] એ રચેલ આ ગ્રન્થ માટે પરમ પૂજ્ય ગચ્છાધિપતિશ્રી તથા તેમના શિષ્યરત્ન પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય માનતુંગસૂરીશ્વરજી મહારાજાની પ્રેરણા મળતાં, પરમ પૂજ્ય, ગચ્છાધિપતિશ્રીના શિષ્યરત્ન, પરમ પૂજ્ય અધ્યાત્મયોગી પંન્યાસપ્રવર, શ્રી ભદ્રંકરવિજયજી મહારાજ સાહેબના કૃપાપાત્ર તથા તેમના શિષ્યરત્ન, પરમ પૂજ્ય, આચાર્યદેવ શ્રીમવિજય કુંદકુંદસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન પરમ પંન્યાસ પ્રવર શ્રી વજસેનવિજયજી મહારાજે સંપાદન કર્યું અને તે ગ્રન્થ પ્રકાશિત થતાં ટૂંક સમયમાં આવૃત્તિ પૂર્ણ થતાં નવી આવૃત્તિનું પ્રકાશન થઈ રહ્યું છે. દ્રવ્યલોક અને ક્ષેત્રલોક સર્ગ–૨૦ સુધીનું ભાષાંતર સુશ્રાવક મોતીચંદ ઓધવજી શાહે કહ્યું છે જ્યારે કાળલોકનું ભાષાંતર સુશ્રાવક કુંવરજીભાઈ આણંદજી શાહે ૧૫ વર્ષ પહેલાં કરેલ પરંતુ તે સળંગ છપાયેલ હતું તથા ભાષાંતર પણ હિન્દી ટાઈપમાં કંપોઝ થયેલું હતું જેથી વાંચનમાં તકલીફ પડતી, તેથી છૂટું–છૂટું છપાવેલ. વળી આ કાળલોક ઘણો વિશાળ ગ્રન્થ હોવાથી ક્ષેત્રલોકની જેમ બે ભાગ કરેલ. એટલે ૨૮થી ૩૧ પૂર્વાર્ધ તથા ૩૨થી ૩૭ સર્ગ સુધી ઉત્તરાર્ધ તરીકે પ્રકાશિત કરેલ તે રીતે જ આ બીજી આવૃત્તિ પણ કરેલ છે. અમારું ટ્રસ્ટ ઉપકારી પૂજ્યોની જ્ઞાનપિપાસાને જાગૃત રાખવા અને આવા ઉપયોગી પ્રકાશનમાં સહાયક થવા હરહંમેશ તૈયાર રહે છે. તેથી પૂજ્ય ગુરુદેવોને ફરી ફરી વિનંતી કરીએ છીએ કે–આવા ઉપકારક ગ્રન્થો, જે જીર્ણ થયેલ હોય કે અપ્રાપ્ય હોય, તેવા ભાષાંતર ગ્રન્થ કે નવા સંશોધન કરેલા ગ્રન્થ, આદિનું સંપાદન કરી જ્ઞાન ભક્તિ કરે અને તેમાં અમારૂં ટ્રસ્ટ પૂજ્યશ્રીઓની જ્ઞાનભક્તિમાં ભાગીદાર થાય, તેવી ભાવના ભાવીએ છીએ. આ ગ્રન્થનું ટૂંક સમયમાં પ્રકાશન કરી આપવા બદલ પરેશભાઈ પરમાર (કાંટુ આટ)નો અમે આ તકે આભાર માનીએ છીએ. આ ગ્રન્થના અધ્યયન દ્વારા આપણે સર્વ શાશ્વત સુખના ભોક્તા બનીએ એ જ એકની એક શુભ ભાવના સાથે શ્રી નમસ્કાર આરાધક ટ્રસ્ટ મુંબઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005157
Book TitleLokprakash Part 04
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages564
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy