SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ તિષ્કોનું સ્થાન ક્યાં છે. ચન્દ્ર-સૂર્ય આદિ કેટલાં રહેલા છે તથા કેવી રીતે ભ્રમણ કરે છે તે બતાવેલ છે. આ ચંદ્ર-સૂર્યના સ્થાનના અંતર વિષે જે મતાંતર છે તે પણ સ્પષ્ટ કરેલ છે. તિષ ચકના વિમાનને આકાર કેવો છે તે બતાવતા જે શંકા થઈ તેને સ્પષ્ટ ખ્યાલ આપવાપૂર્વક સમાધાન કરેલ છે. હવે, આ વિમાનોને વહન કરનારા સેવક દેવોની સંખ્યા તથા તેમના મનની પ્રસન્નતા બતાવીને તેને કેવા-કેવા રૂપ કરીને કેવી રીતે તે વિમાનને વહન કરે છે. તે ખૂબજ વિસ્તારથી બતાવેલ છે. આ જણાવ્યા બાદ એક-બીજાની અપેક્ષાએ ગતિની મંદતા-તીવ્રતા બતાવી છે. ત્યાર પછી તારાઓનું અંતર તથા તેમના વિમાનનું વર્ણન પણ શકય એટલા વિશેષ વિસ્તારથી કરેલ છે. આ તિક દેવેનો પરિવાર-પર્ષદા તથા સભાની સંખ્યાના નિર્દેશપૂર્વક જણાવ્યા બાદ જ્યોતિષ્ક દેવને ઉત્કૃષ્ટ વિરહકાળ તથા એ દેવોની ગેરહાજરીમાં શાસન કેણ ચલાવે? તે સર્વ હકીક્ત આગમમાં પુરાવા સાથે જણાવેલ છે. આ જતિષ્ક દેના મુકુટમાં જે ચિહ્નો હોય છે તે ચિહ્નોની વિગત જણાવી છે. આટલી વિગત બતાવ્યા બાદ ચન્દ્રની જે ચાર અગ્રમહિષીઓ છે તેમના નામ તથા તેમના પૂર્વભવની હકીકત તથા વર્તમાનમાં તેમની વિદુર્વાણાની શક્તિ બતાવી છે. ચન્દ્રની જેમ સૂર્ય–ગ્રહ-નક્ષત્ર તથા તારાનાં દેવોની પણ અગ્રમહિષીઓ તેમના નામ, તેમની જઘન્ય-ઉત્કૃષ્ટ સ્થિતિ વગેરેનું વિસ્તારથી વર્ણન કરેલ છે. આટલું વિસ્તારથી જણાવ્યા પછી અહિં પ્રસંગને પામીને એક વિચારણીય પ્રશ્નોત્તર ગ્રંથકાર પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજ કરી રહ્યા છે કે પ્રાણીને પ્રાપ્ત થતા સુખ કે દુઃખ કર્માધીન છે. તેવી સજજડ માન્યતા જૈન શાસનની છે તો પછી સુખ–દુઃખાદિન નિમિત્તરૂપે જતિષીઓને કેમ ગણાવવામાં આવે છે ? આ પ્રશ્નને મનનીય ઉત્તર ગ્રંથકારશ્રી પિતે જ ફરમાવી અનેકને સચેટ સુંદર માર્ગદર્શન પુરૂં પાડ્યું છે કે આ જ્યોતિષ ચક મુજબ મૂહુર્તનું પ્રજન કેમ છે અને આવશ્યક પણ કેમ છે. એ રીતે મહતવનો આ વિષયની ચર્ચાપૂર્વક સમાધાન કરીને આ પચીસમે સગ પૂર્ણ કરેલ છે. સર્ગ છવીસમે અલેક અને તિરછકના સર્વ પદાર્થોની શકય એટલા વિસ્તાર તથા સૂક્ષમતાથી વિગત જણાવીને હવે પૂજ્યપાદું ઉપાધ્યાયજી મહારાજ હવે પછીના ૨૬-૨૭ મા સર્ગમાં ઉદ્ઘલેકનું વર્ણન કરી રહ્યા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005156
Book TitleLokprakash Part 03
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
PublisherBherulal Kanhiyalal Kothari Religious Trust
Publication Year
Total Pages616
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy