SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ ] હવે છઠ્ઠા દૃષ્ટાંતની સંગ્રહગાથા કહે છેઃ—— Jain Education International ઉપદેશપદ-અનુવાદ सुमिणम्मि चंदगिलणे, मंडग-रजाई दोण्ह वीणणओ । resणुता सुमिणे, तल्लाहसमं खु मणुयत्तं ॥ ११ ॥ સ્વપ્રમાં ચંદ્ર ગળતાં એકને પૂડલા અને બીજાને રાજ્ય મળ્યું-જાણ્યું, ત્યારે ફરી તેવું સ્વસ લાવવા પ્રયત્ન કરવા માક મનુષ્યપણું દુલ ભ છે. તેના ઉપર વિસ્તારથી કથા આ પ્રમાણેઅવ તી નામના દેશમાં અમરાપુરીને જિતવા સમ અતિનિમલ વૈભવના કારણે શ્રેષ્ઠ ઉજેણી એવા નામની પ્રવર નગરી છે, પ્રચ ́ડ પરાક્રમવાળે હાવાથી જેણે સમગ્ર દિશા-મડલા જિતેલાં છે, તથા કળાઓમાં ચતુર જિતશત્રુ નામના રાજા તે નગરીનું પાલન કરતા હતા. ત્યાં સમગ્ર દેશેામાં વેપાર ચલાવતા, મેરુપર્યંત માફ્ક સ્થિર, ત્યાગી, ભાગી એવા અચલ નામના સાથ વાહ હતા. તે નગરમાં લાવણ્યના સમુદ્ર જેવી, કમલપત્ર સરખા નેત્રવાળી, તેને ત્યાં આવનાર લેકનાં મનને અનુસરનારી, ધનથી સમૃદ્ધ એવી દેવદત્તા નામની ગણિકા હતી. તથા ધૂતા, ચાર, ઠગારા, વ્યસની, કૌતુકી, ચતુર, વિદ્વાન અને ધાર્મિકામાં જે મુખ્યરૂપ પ્રસિદ્ધિને પામેલા, રાજકુળમાં જન્મેલા, સેંકડા રાજલક્ષષ્ણેાથી સંપૂર્ણ એવેા મૂલદેવ નામનેા ધૃત ( ધૃતકાર ) રહેતા હતા અને તે ખૂબ પ્રસિદ્ધિ પામ્યા હતા. દેવદત્તા ગણિકા સાથે સાચા સ્નેહથી વિષયસુખ ભાગવતા તેના દિવસે આનંદમાં પસાર થતા હતા. કાઈક વસંત. મહેાત્સવમાં ઉદ્યાન–ક્રીડા માટે નીકળેલ અચલે મૂલદેવની સાથે દેવદત્તાને દેખી. તે વખતે દેવદત્તા પાલખીમાં આરૂઢ થયેલી, અચલ તેના ઉપર અતિશય સ્નેહાધીન થયા અને વિચારવા લાગ્યા-‘ભાગ્યશાળીને જ આના ચેાગ થાય' તેા હવે કયા ઉપાયથી આ મારા મનારથાને પૂર્ણ કરનાર થાય ? ’ એમ વિચારી અનેક જાતના દાનાદિક ઉપચાર શરૂ કર્યા ‘ગણિકા ભેટ-સાગાદથી સ્વાધીન થનારી હોય છે.’ તેથી મચલને સ્નેહ ખતાબ્યા અને અતિમાન આપવા લાગી. હવે રાત્રિ શરુ થવાના સમયે શ્રેષ્ઠ ચિત્રામણેાથી યુક્ત ભિત્તિવાળા, નિર્મ્યુલા મણુિઓથી જડિત ભૂમિતલવાળા, ઉપર ચંદરવા બાંધેલા, દીપતા રત્નના દીવડાથી દૂર થયેલ અંધકારવાળા, સુંદર સજેલા શૃંગારવાળા વાસભવનમાં આવી પહેાંચ્યા. એટલે દેવદત્તાએ આસન વગેરે આપી તેનેા સત્કાર કર્યાં. આ પ્રમાણે તેની સાથે અતિશય આનંદથી ભાગ-વિલાસમાં સમય પસાર કરતી હતી, પરંતુ હંમેશા હૃદયના સ્નેહ તા મૂલદેવને વિષે જ રાખતી હતી. પેાતાની માતા અક્કાના ભયથી મૂલદેવને પેાતાના ઘરમાં પ્રવેશ કરાવતી ન હતી, પરંતુ તે કારણે તેના મનમાં અજપે તે રહેતા જ હતા અને તે અજપે માતાના જાણવામાં આવ્યા. ત્યારે માતાએ કહ્યું કે, હે પુત્રિ ! તને જે તે રુચતા હોય, તેા ભલે તેને પ્રવેશ કરાવ, નિરક શા માટે ઝુરે છે ?’ દેવદત્તાએ મૂલદેવને સમયે પેાતાના વાસભવનમાં પ્રવેશ કરાવ્યેા. અક્કાએ મૂલદેવને આ પ્રમાણે કહ્યું કે- શ્રી અપાત્ર સાથે રમે છે, વરસાદ પતમાં અધિક વરસે છે, લક્ષ્મી નીચને આશ્રય કરે છે અને ઘણે ભાગે For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy