SearchBrowseAboutContactDonate
Page Preview
Page 626
Loading...
Download File
Download File
Page Text
________________ વીરાંગદ અને સુમિત્રની કથા [ ૫૮૩ વાળા કુમારે કહ્યું કે–અરે! જ્યાં સુધી હું તેને ધારણ કરું છું, ત્યાં સુધી તેને કેઈ મારી શકશે નહિં, માટે આ વાત છોડી દે અને પિતાજીને કહે કે- તેના કુલનું અભિમાન, માહાસ્ય કે બહાદુરી કેવી રીતે કહેવાય છે, જેના શરણમાં આવેલા ગાય અને હાથી માફક સ્વછંદ ભ્રમણ ન કરી શકે ?” કુમારને નિશ્ચય જેમણે જાણ્યા છે, એવા રાજદંડપાશિક પુરુષોએ આ વાત રાજાને નિવેદન કરી. “અતિશય રેષ– પામેલા પિતાએ કુમારને દેશવટ કરવાનો હુકમ આપે.” પિતાના મનોરથને અનુકૂલ પિતાને આદેશ હેવાથી હર્ષ પામેલા કુમારે પિતાની સાથે આવતા સમગ્ર પરિવારને રોકીને સુમિત્રને સથવારો કરીને દેશાન્તરમાં પ્રયાણ કરવા લાગ્યો. અનેક રાજ્યોને ઉલ્લંઘીને પરિભ્રમણ કરતે કરતો એક મહા અરણ્યસ્થલમાં પરિશ્રમ દૂર કરવા તેમ જ વિનોદ માટે એક વડલાના છાંયડામાં સૂઈ ગયો. સુમિત્ર જાગતો હતો અને તેની જંઘાઓનું પ્રમર્દન કરવા લાગ્યો. આ સમયે વડલામાં વાસ કરતા યક્ષને તેઓનાં રૂપને દેખીને અત્યંત આનંદ થયો, વળી દિવ્યજ્ઞાનથી તેના ગુણાતિશયને પણ જાણી લીધા. એટલે યક્ષ તેમના ઉપર પ્રભાવિત થઈ વિચારવા લાગ્યું કે, “આ મહાભાવિક પુરુષની પરોણાગત કરું.” એમ વિચારીને સુમિત્રને દર્શન આપ્યાં. સુમિત્રે પણ આ કોઈકે દેવ છે.” એમ ધારી ઉભા થઈ અભિવાદન કર્યું. ત્યાર પછી યક્ષે કહ્યું કે, “હે મહાભાગ્યશાળી ! તમે મારા પરોણ છે, તે બોલે કે, તમારું શું સ્વાગત અને સરભરા કરું?” સુમિત્રે કહ્યું કે, “દર્શન આપવાથી જ અમારા સર્વ મનોરથ પૂર્ણ કર્યા છે. આના કરતાં બીજું વધારે ચડિયાતું કે દુર્લભ શું છે? કહેલું છે કે “દેવતાનાં દર્શન માટે અનેક તપનું સેવન કરે છે, તથા મંત્રે સુવિદ્યાઓના જાપ જપે છે, પરંતુ દરેક તેમાં સફળતા મેળવતા નથી, જેઓ પૂરા ભાગ્યશાળી હોય, તેવા કેઈક વિરલ ભાગ્યશાળીઓને જ તેઓ દર્શન આપે છે. ” “જેના અંગમાં ગુણે ઉત્પન્ન થયેલા છે, તેવા સજન પુરુષ પ્રાર્થના કરવાનું જાણતા જ નથી, એટલું જ નહિ, પરંતુ જીવિત, વૈભવવ્યયના ભેગે પણ બીજાનો ઉદ્ધાર કરે છે.” તે પણ દેવદર્શન સફળ કરવા માટે આ બે મણિને ગ્રહણ કર. આમાં જે નીલમણિ છે, તે ત્રશુરાત્રિ ઉપવાસ કરીને પછી તેની પૂજા કરવામાં આવે, તો તે વિશિષ્ટ રાજ્ય આપનાર થાય છે, માટે આ મણિન ઉપગ તેના માટે કરે. વળી આ જે લાલ કાંતિવાળું છે, નવ માયાબીજથી અભિમંત્રિત કરી તેને તારે ઉપયોગ કરે. તેનાથી મનેરથથી પણ અધિક વિષયસુખ પ્રાપ્ત થશે.’ ત્યાર પછી વિસ્મય પામેલા સુમિત્રે કહ્યું કે, “જેવી તમારી આજ્ઞા” એમ કહી પ્રણામ પૂર્વક બે હાથની અંજલી જોડી તેમાં આદર પૂર્વક ગ્રહણ કર્યા. સુમિત્ર વિચારવા લાગ્યો કે-“અહો ! આ હકીકત સત્ય છે કે-“નગરમાંથી ધન અરણ્યમાં હરણ થાય છે, વનમાં પણ ચારે બાજુથી સહાયતા મળી જાય છે. સૂતેલા મનુષ્યનાં પૂર્વે કરેલાં કમેં જાગતાં હોય છે. ખરેખર આ કુમાર મહાપુણ્યને ભંડાર છે કે, જેને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy