SearchBrowseAboutContactDonate
Page Preview
Page 622
Loading...
Download File
Download File
Page Text
________________ જિન-પૂજા–ભાવથી વૃદ્ધ ડોશી અમર થઈ [ ૫૭૯ ગ્રહણ કરીને ભક્તિપૂર્ણ અંગવાળી હું પૂજા કરું, તે તેનાથી ધન્યા, પુણ્યા, કૃતાર્થ બનું. મળેલે મારો મનુષ્ય-જન્મ પણ સફળ થાય, મારું જીવિત ધન્ય થાય.” આવી ભાવના જ્યારે તેના અંતઃકરણમાં વર્તતી હતી અને કાયા રોમાંચિત થઈ હતી, હર્ષના અશ્રુજળથી જેના કપોલતલ ભીંજાઈ ગયા હતા, ભગવંત તરફ જવા ગમન કરતી હતી, સમવસરણ અને જંગલની વચ્ચે જ વૃદ્ધા હોવાથી, આયુષ્ય ક્ષીણ થયું, એટલે તરત જ તેવી ભક્તિભાવના-સહિત મૃત્યુ પામી. તે સમયે તેણે પૂજા નથી કરી, પરંતુ પૂજાના પરિણામની એકાગ્રતા અને ઉલ્લસિત માનસ થવાથી, તે દેવકને પામી. (૧૦૨૦) તેનું કલેવર પૃથ્વી પીઠ પર રગદોળાતું દેખીને અનુકંપા-યુક્ત ચિત્તવાળા લોકો તેને પાણીથી સિંચવા લાગ્યા. બિલકુલ હાલતી–ચાલતી કે શ્વાસ લેતી ન હોવાથી લોકોને શંકા થઈ કે, “આને મૂર્છા આવી છે કે મૃત્યુ પામી છે ?” જ્યારે કઈ કશે પણ નિર્ણય કરી શકતા નથી, એટલે ભગવંતને પૃચ્છા કરી કે, “હે ભગવંત ! પેલી વૃદ્ધા મૂચ્છ પામેલી છે કે મૃત્યુ ?” ત્યાર પછી ભગવતે જણાવ્યું કે, “મૃત્યુ પામીને દેવલોક પામી છે.” દેવલોકમાં સર્વ પર્યાતિ પામીને અવધિજ્ઞાનને ઉપગ મૂકીને પૂર્વભવમાં અનુભવેલનું સ્મરણ કરીને તે દેવ પ્રભુને વંદન કરવા માટે આવ્યું, ત્યારે લોકોને જણાવ્યું કે, “પેલી સ્ત્રી હતી, તે જ આ દેવ છે.” ફરી જ્યારે આ હકીકત લોકોને કહી, એટલે લોકોને આશ્ચર્ય થયું કે, “અહો ! એકલા માત્ર પૂજાના પરિણામ કર્યા, તેટલા માત્રમાં આણે અમરતા પ્રાપ્ત કરી.” ત્યાર પછી ભગવંતે ધર્મકથા કહેવાનો પ્રારંભ કર્યો-થોડો પણ શુભ અધ્યવસાય વિશિષ્ટ ગુણપાત્રને અધિકારી બનાવી મહાફલ આપનાર થાય છે. જેમ એક જળબિન્દુ સ્વયંભૂરમણાદિ સમુદ્રમાં નાખવામાં આવે, તે તે કાયમ માટે અક્ષયભાવ પામે છે. તે બિન્દુના આશ્રયના શેષનો અભાવ હોવાથી. એ જ પ્રમાણે વીતરાગ અરિહંત પરમાત્માઓ વિષે, તેમના પ્રધાન વીતરાગાદિક ગુણો વિષે બહુમાન-પક્ષપાત કરે, તે વીતરાગ પરમાત્માની પૂજાથી થાય છે. જિનેશ્વરે, ગણધરો, દેવેન્દ્રો, રાજાઓની મધ્યે જે પ્રધાન-મુખ્યપદની પ્રાપ્તિ, તથા પૂજા–સમયે ઉત્કૃષ્ટ પુણ્યાનુબંધી પુણ્યકર્મને બંધ, તથા અશુભ કર્મને ક્ષય થાય અને તેના ગે કાલાન્તરે કામે કરી યથાખ્યાત ચારિત્રરૂપ ઉત્તમ ધર્મની સિદ્ધિ થાય છે. તે સર્વ વીતરાગ જિનેશ્વર અરિહંત પરમાત્માની પૂજાના પ્રભાવથી થાય છે. તથા ઉત્તમ એવા જિનેશ્વરના ધર્મની પ્રસિદ્ધિ-પ્રભાવને પ્રકાશ તે પણ જિનેશ્વર વીતરાગ પરમાત્માની અભ્યર્ચના કરવાથી થાય છે. આ પૂજાના પ્રણિધાનરૂપ ધર્મના બીજથી ભવગહનમાં દારિદ્રય દૂર થવા સાથે, અત્યંત પ્રધાનભૂત શબ્દાદિક વિષયસુખની પ્રાપ્તિ સાથે, ઉત્તરોત્તર તેમાં ત્યાગ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy