SearchBrowseAboutContactDonate
Page Preview
Page 587
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪૪ ] ઉપદેશપદ-અનુવાદ વળી જે આ રુદન ક્રિયાથી પ્રગટ દેખાતું મરણ-દુઃખ, તેની અપેક્ષા એટલે કેઈક બીજા સંબંધવાળા પુરુષ સાથે સ્વજનપણાની અપેક્ષા રાખી હોય, એ અબંધુ હોવા છતાં પણ જ્યારે તે મૃત્યુ પામે છે, ત્યારે દુઃખ ઉત્પન્ન કરાવનાર થાય છે. એકલા બંધુને અંગે દુઃખ થાય છે, તેમ નહિં. કેટલીક વખત કેઈક અપરાધના કારણે બંધુ પણ પારક બની જાય છે, બંધમાં પણ દુઃખ થતું નથી. વળી દરિદ્ર સંબંધી કંઈક કહું છું. તમે અહિં જે દરિદ્ર છે, તેને માટે કહે છે. અહિંને દરિદ્ર અને પરલોકને દરિદ્ર એ બંનેમાં ઘણો જ તફાવત છે. જ્યારે કુમારે ચારે પૂછેલા પ્રશ્નોના ઉત્તરો આપ્યા, ત્યારે લોકોએ રાજાને નિવેદન કર્યું કે, “આણે આ વિષયને આ પ્રત્યુત્તર આપે. ત્યાર પછી રાજાએ પોતાની પાસે બોલાવરાવીને તેને જે, તો હર્ષ થયા. ત્યાર પછી રાજાએ પ્રિય વચનના પ્રયોગ-પૂર્વક આગળ પૂછેલા પ્રશ્નના જવાબ પૂછયા. તે અર્થોનું યથાર્થ નિવેદન કર્યું. એટલે પિતાને ધર્મ-વિષયક પરિણામ થયા. તું જે કંઈ નિવેદન કરે, તે અમોને માન્ય છે. એ પ્રમાણે પિતા તરફથી અનુમતિ મળી, ત્યારે સંવેગ પામેલા પુત્ર ભાવસાર-તત્ત્વભૂત એવું કથન કર્યું. તે જ અહિં સ્પષ્ટ રીતે સમજાવે છે– શુદ્ધ સુકૃત ઉપાર્જન કરવાથી સર્વ પ્રકારે આ ભવમાં ધન-ધાન્યાદિકના લાભથી દરેક ભેગો મેળવનારા થાય છે. વળી ધર્મ કરવાથી–પુણ્યકાર્ય કરવાથી પરભવમાં પણ ભગવાળો બને છે. નહિંતર ધર્મ-પુણ્ય ન કરનાર તો વળી તુચ્છ ભોગ મેળવનાર થાય છે. ધર્મ કર્યા વગર નવા પુણ્યકમનો અનુબંધ ઉપાર્જન ન કરેલ હોવાથી તુચ્છ-અ૫ ફળવાળા ભેગો ભેગવનાર થાય છે. તથા રાજ્યફલ-પ્રાપ્તિ તે વ્યાધિ સમાન સમજવી. રાજાપણાને પટ્ટાભિષેક, છડી, ચામર વિંજવા આદિનાં સુખ તે ઉપચારરૂપ છે, તેથી ગાઢ વ્યાધિ અને રાજ્ય આ બેમાં ખાસ કંઈ તફાવત જણાતા નથી. જેમ ગુમડાં, ખસ, કોઢ, ભગંદર આદિ ભયંકર રોગ થયો હોય, ત્યારે કોઈ રાજ્યની અભિલાષા કરે ખરો? વ્યાધિ અને રાજ્યોત્સવ બંનેમાં કશે તફાવત નથી. રાજ્યત્સવ એ સુંદર ફળવાળે નથી. કારણ કે, “રાજા, ચિત્રકાર અને કવિ આ ત્રણ નરકે જાય છે.” આ પ્રમાણેનું નીતિવચન છે. તથા પુત્ર જન્માદિના ઉત્સ, પુત્ર મૃત્યુ પામે, ત્યારે તે આનંદમાં ભંગ થાય છે. માટે તેનું પરિણામ સુંદર નથી. પુષ્પની માળા કે પાણી ભરવાની નાની માટીની ઘટિકા આ બેને વિચાર કરીશું, તે પુષ્પમાળાને ભેગ અલભ્ય છે અને તેનું મૂલ્ય વધારે છે. ઘટિકા અલ્પ મૂલ્યવાળી છતાં તે લાંબા કાળ સુધી ભગવાય છે. અહિં આપેક્ષિક દુઃખ કારણ છે. આપણા ખ્યાલથી પુષ્પમાળા એ ભલે કિંમતી છે, પરંતુ સાંજે કરમાઈને નિરુપયોગી થવાની છે. જેથી તે નાશ પામવામાં દુઃખ થતું નથી. જ્યારે પાણી ભરવાની નાની ઘટિકા અ૮૫ મૂલ્યવાળી છે, પરંતુ લાંબા સમય સુધી કામ લાગી શકે તેવી છે–એવી અપેક્ષાના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy