SearchBrowseAboutContactDonate
Page Preview
Page 473
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૦ ] ઉપદેશપદ- અનુવાદ વધાવિ સરિશ્વર, સમુourશ્વરિ નાથ! દાઃ | न च तासु भवान् प्रदृश्यते, प्रविभक्तासु सरित्स्विवोदधिः ॥१॥" “હે જિનેશ્વર ભગવંત! સમુદ્રમાં જેમ સર્વ નદીઓ સમાઈ જાય છે, તેમ આપના સિદ્ધાંતમાં સમગ્ર દષ્ટિએદશને-મતે સમાઈ જાય છે, પરંતુ જુદી જુદી વિભાગવાળી નદીઓમાં જેમ સમુદ્ર સમાઈ શકતો નથી, તેમ તે દષ્ટિઓ-મત-શાસ્ત્રોમાં આપ દેખાતા નથી– સમાઈ શકતા નથી.” માટે જ બાર અંગને ક્ષીરસમુદ્ર વગેરે સમુદ્ર સમાન નિશ્ચયથી કહેલું છે. માટે સમગ્ર જે કંઈ પણ સુંદર બીજા પ્રવાદોમાં કહેલું પ્રાપ્ત થાય, તે તેમાં તેનો સમાવતાર-સમાવેશ કરો. આ પ્રમાણે અકરણનિયમ વગેરે વાક્યો પણ તેવા તેવા વ્યાસમુનિ, કપિલમુનિ અતીત પતંજલિ વગેરેએ રચેલા-પ્રરૂપેલા યંગવિષયક શાસ્ત્રોમાં જિનવચન-સમુદ્રના મધ્યમાંથી જ મેળવેલાં વચનબિન્દુઓ સમજવાં. તે વચનેની અવજ્ઞા કરવામાં સમગ્ર દુઃખના મૂલભૂત ભગવંતની આજ્ઞાની અવજ્ઞાને પ્રસંગ ઉત્પન્ન થાય છે અને તેથી કઈ કલ્યાણની સિદ્ધિ પ્રાપ્ત થતી નથી. (૬૯૪). હવે અકરણનિયમનું લક્ષણ જણાવે છે – ૬૫–શીલભંગ કરવારૂપ પાપ ન કરવાને નિયમ, તે ઘણા ભાગે વિવક્ષિત પાપ પ્રત્યે જેણે અત્યંત ઉત્સાહ કર્યો છે, એવા કેટલાક ભવ્યાત્માઓને જે પાપની નિવૃત્તિ કરવી–તેમ સમજવું. એટલે કે, પહેલાં તે પાપ કરવાની તીવ્ર અભિલાષા હોય અને પછી તે પાપ ન કરવું, તે અકરણ નિયમ. વળી જ્યારે ગ્રન્થિભેદ થાય, ત્યારે ચારિત્રમોહની ગાંઠ ભેદાય, ત્યારે વળી ફરી પણ પાપથી પાછા હઠવારૂપ તે પાપ ન કરવારૂપ અકરણનિયમ. અહિં બે વાત સમજવાની છે-એક તે કઈક નિરોગી મનુષ્ય હોય, પરંતુ દુભિક્ષકાળમાં તેવા પ્રકારના પૌષ્ટિક ખોરાકના અભાવમાં શરીરની દુર્બળતા થાય છે, બીજો એક એ છે કે, “પૂર્ણ ભજનની પ્રાપ્તિ થવા છતાં પણ રાજયકમાં નામના ક્ષયરોગથી દુર્બળ દેહવાળો થયેલ છે. તેમાં પ્રથમને ફરી સમુચિત ભજનની પ્રાપ્તિ થાય, ત્યારે તેના સંપૂર્ણ શરીરની પુષ્ટિ થાય જ. બીજા ક્ષયવાળાને તો તેવા તેવા પુષ્ટિકારક ખોરાકથી પોષવા છતાં પણ દરરોજ શરીરની દુર્બળતા વધતી જ જાય છે. એ પ્રમાણે ગ્રંથિભેદ થયા પહેલાં સામાન્ય ક્ષયે પશમથી જે પાપની નિવૃત્તિ કરી છે, પરંતુ સામગ્રી-પ્રાપ્તિથી ફરી પણ તે પાપની વૃદ્ધિ થાય છે. ગ્રંથિભેદ થયા પછી ચારિત્રમોહનીયના વિશિષ્ટ ક્ષયોપશમથી જે પાપની નિવૃત્તિ થાય છે, તે ક્ષયરોગવાળાના શરીરની જેમ દરેક ભવમાં પાપ પાતળું પડતું જાય છે અને છેવટે સર્વ કર્મ કલેશથી મુક્ત બની મુક્તિ પ્રાપ્ત કરે છે. તેમ જ બીજાઓને પણ તે પિતાના આચારની નિશ્ચલતા અને બળથી તેવા તેવા ઉપાયોથી પાપની નિવૃત્તિના કારણભૂત બને છે. (૬૯૫) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy