SearchBrowseAboutContactDonate
Page Preview
Page 399
Loading...
Download File
Download File
Page Text
________________ ૩પ૬ ] ઉપદેશપદ-અનુવાદ (૨) નંદ શ્રાવક અને મિથ્યાવી ૫૩૧ થી પ૩૫–નાસિક નામના નગરમાં નન્દ નામના બે વેપારીઓ હતા. તે બેમાંથી એક શ્રાવક જિનવચનમાં શ્રદ્ધાવાળ, શ્રાવકજન-ગ્રહણ કરેલા અણુવ્રત અને સામાચારી પાલન કરનાર “સર્વ ઇચ્છિતસિદ્ધિના કારણભૂત તરીકે ભગવાન અરિહંતનું જ વચન છે-એમ હંમેશાં માનનારે, સંતેષરૂપ અમૃત–પાનના પ્રભાવથી જેણે વિષય-તૃષ્ણાના વેગે નિવારણ કરેલા છે, પ્રશમસુખની ખાણમાં મગ્ન બનેલો પોતાને સમય પસાર કરતા હતા. જ્યારે બીજો નન્દવણિક તો મિથ્યાત્વી હતો કે, જેને યોગ્ય, અગ્ય; યુક્ત, અયુક્ત, સત્ય, અસત્ય વસ્તુવિષયક વિવેક-ઓળખ ન હતી. એવા પ્રકારના જીવ–પરિણતિવિશેષથી પીડા પામેલો હોવાથી તે મિથ્યાત્વથી આત હતો, અથવા મિથ્યાત્વરૂપ દંડથી દંડાતો હોવાથી, તે આ પ્રમાણે-અતિતીવ્ર લાભ લેવાથી સર્વ ક્રિયામાં લાભ-નુકશાનના પરિણામને ન ગણકારતો. માત્ર પાપની પ્રવૃત્તિ આચરવામાં સમય પસાર કરતે હતે. કેઈક સમયે રાજાએ કોશ વડે તળાવ ખોદાવવાનું કાર્ય આરંભ્ય. તેમાં પૂર્વકાલમાં કોઈકે સુવર્ણમય કોશ નિધાન તરીકે દાટી હતી, તે જોવામાં આવી. તે સર્વ નિધાન તાંબાના પાત્રમાં રાખેલ હોવાથી તે સુવર્ણ ઉપર પણ કાટ ચડી ગયે. સુવર્ણની કાંતિ ઉડી ગઈ હતી અને લોઢાના રંગ સરખી હોવાથી લોકોએ “આ લોઢાની જ છે' એમ સંભાવના કરીને તેને અનાદર કર્યો. સેવકવર્ગ તળાવ ખોદનારાઓને તેનું દાન કર્યું. દુકાનમાગે આવતા ખોદકામ કરનારાઓએ તે વેચવાનું આરંવ્યું. તેમાં નન્દ શ્રાવકની દુકાને તેઓ વેચવા આવ્યા, ત્યારે આકાર-વિશેષથી, તોલ વિશેષથી, તથા ઉપર કાટ ચડી ગયેલ હોવાથી જ્ઞાનવિશેષથી જાણી લીધું કે, આ સેનામય છે, શ્રાવકે તે ખરીદ ન કર્યું. કેમ ? તો કે, પિતે રાખેલ પરિગ્રહ-પરિમાણ વ્રતનો ભંગ તે હવાથી. જો કે, રાજલકને આ હકીકત ખબર પડે તો–ખરીદેલું જાણવામાં આવે તે પિતાના ઘરની મૂળ મુડી સહિત સર્વસ્વનું અપહરણ કરી લે–એવો આકરો દંડ પ્રાપ્ત થાય, તે વાત પણ તેના મનમાં હતી જ. એ સર્વ હકીકત બાજુ પર રાખીએ, પરંતુ પોતાના ગ્રહણ કરેલા વ્રતની-ઈચ્છાપરિમાણ વ્રતની આ સુવર્ણ કેશ ખરીદ કરવાથી મુડીની અધિકતા થાય, તો વ્રતભંગ થાય. પ્રાણુનાશથી પણ વ્રતભંગ ઘણે ભયંકર છે-એ અભિપ્રાયથી પિતે ખરીદ ન કરી. તેવા પ્રકારના સુવર્ણની આ કોશે છે, તેથી ભયંકર લોભરૂ૫ સર્ષના વિષથી વિહલ બનેલા એવા મિથ્યાદષ્ટિ ન તે ખરીદ કરી. તેને સુવર્ણની છે, તેમ માલૂમ પડેલું, જેથી મજુરોને કહી રાખેલું કે, તમારે દરરોજ આ કોશ અહીં વેચવા માટે લાવવી, મારે આનું ઘણું પ્રયોજન છે. લોહમય કોશ કરતાં પણ અધિક મૂલ્ય આપીને તે ખરીદ કરવા લાગ્યો. દરરોજ કે ખરીદ કરતા કરતા તેને ત્યાં ઘણી કેશે એકઠી થઈ. હવે કોઈક સમયે જેને ના પાડી શકાય તેમ નથી, એવા કેઈક સગા સ્નેહીએ આવીને ઉત્સવમાં આવવા માટે દબાણથી આગ્રહ કર્યો. તે ઉત્સવમાં પિતાને ફરજિયાત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy