SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વદિશા કરી રહ્યા હોય-સાધર્મિક જેને એ વારંવાર એકઠા થઈને અણસણુમાં શ્રદ્ધા વધે તે રૂ૫ ઉપખંહણા-પ્રસંસા આદરી દીધી હોય–ઘણા સકળસંઘોની વચ્ચે પોતાને સિદ્ધાંત સંભળાવતા હોય-વસ્ત્ર, માય વિગેરેના અપરંપાર સત્કાર અને સન્માન થઈ રહ્યા હોય, એ વિગેરે સ્વપૂજાને વિસ્તાર જોઇને “અનશનમાં પણ હું ઘણું જીવું, એજ સારું છે કે-જેથી મારા નિમિતે થશે આ બધે ઠાઠ ચાલ્યા કરે.' એવી અભિલાષાથી અનશન કરે છે તેથી નવતાના નામે ત્રીજો અતિચાર લાગે છે. એ જ પ્રમાણે કે ધર્મના સંસ્કારહીન ક્ષેત્રમાં અનશન કર્યું હોય અને તે વખતે ત્રીજા અતિચારની વિગતમાં જણાવેલ પૂજા સત્કાર ને અભાવ હોય કે સુધાથી પીડાતા હોય તેથી “ક્યારે મરણ આવે અને હું જલદી મરું? એવી–અભિલાષા ઈચ્છાઓ કરે છે તેથી મારાંસા નામે ચે અતિચાર લાગે છે. પાંચે ઈન્દ્રિોના શબ્દ-૩૫-રસ–ગર્ધ-અને પશે મળીને પાંચ વિષય છે. તેમાં શબ્દ અને રૂ૫ એ બે કામ છે. અને રસગધ તથા સ્પર્શ એ ત્રણ ભાગ છે. “હું આ તપ કરૂં, તેના પ્રભાવથી મરણબાદ-પરભવમાં મને સુંદર કામ , રૂ૫ અને સૌભાગ્ય વિગેરે મળે” એવી અભિલાષાથી અણસણ કરે-એટલે કે-ચાલુ અનશનમાં તેવી અભિલાષા કરે અને તે અભિલાષાએ અનશન પૂરું કરે તો તેથી કાનાફલા કાગ' નામે પાંચ અતિચાર લાગે છે. અત્ર અણસણ કરનાર આરાધક આત્મા, આ તેત્રીસમી ગાથાના ઉત્તરાદ્ધમાં કહે છે કે તે પાંચ પ્રકારનો અતિચાર મને મારી આ અણસણમાં આયુષ્યના અંત સમય સુધી પણ ન થાવ આમ છતાં પ્રમાદવશાત આ સંલેખના વ્રતને વિષે દિવસ સંબંધી તેમાંના જે કઈ અતિચાર લાગ્યા હેય તેનું હું પ્રતિક્રમણ કરું છું. હું ૩૩ છે ગાથા ૩૪ મીનું અવતરણ-ગાથા તેત્રીસ સુધીમાં જ્ઞાનાચારના ૮, દર્શનાચારના ૮, ચારિત્રાચારના ૮, સમ્યકત્વના ૫ શ્રાવકનાં બારવ્રતના ૮૦, તપાચારના ૧૨ વીર્યાચારના ૩ અને છેવટ સંખનાના પાંચ મળીને શ્રાવકનાં તે વિષે લાગવા સંભવિત એવા ૧૨૪ અતિચારે ઉપલક્ષણથી જણાવ્યા છે, સિવાય સંલેખના તપની માફક પાંચ પ્રકારની આશંસા વિગેરે અતિચારે પણ દરેક વ્રતમાં વર્જવાના છે. આ સર્વે પણ અતિચારે લાગવાના નિમિત્તભૂત મન, વચન અને કાયાના (અશુભ) વેગે જ છે. આ ૩૪મી ગાથાદ્વારા સામાન્યપણે તે ત્રણ યોગનું- મન, વચન અને કાયાના ત્રણ (શુભ) યોગ વડે જ પ્રતિક્રમણ જણાવાય છે. कायेग काइयस्स, पडिको वाइस वायाए । मणसा माणसिअस्स, सव्वस्त वयाइआरस्स ॥३४॥ ભાવાર્થ –પ્રાણીને માર મારે, આકરાં બંધ કરવાં, વિગેરે પ્રકારે વ્રતમાં જે કાયાથી અતિચારે લગાડ્યા હોય તે કાયિક અતિચાર, કઈને સહસાત્કારે ખાટાં આળ ચઢાવવા વિગેરે પ્રકારે વયનથી અતિચારે લગાડ્યા હોય તે વાચિક અતિચાર અને ભગવંત પ્રરૂપિત દેવતત્વ વિગેરેમાં મનમાં શંકા લાવવી આદિ પ્રકારે મનથી જે કઈ અતિચારે લગાડ્યા હોય તે માનસિક અતિચારઃ એ પ્રમાણે તેને વિષે લાગેલા સર્વ કાયિક-વાચિક અને માનસિક અતિચારેનું હું તે કાયા વડે વાચા વડે અને મન વડે જ પ્રતિક્રમણ કરું . એટલે-કે કાયાથી લાગેલા દોષનું ગુરૂએ જે પ્રાયશ્ચિત આપ્યું હોય તે તપ–કાઉસગ્ગ વિગેરે કાયાથી જ કરી આપવા વડે, વચનથી લગાડેલા દેને મિચ્છામિ દુક્કડં વિગેરે વાચાથીજ આપવા વડે અને મનથી લગાડેલા ની “હા! મેં ખરાબ કર્યું એ પ્રમાણે મનથી જ નિંદા કરવા વડે હું પ્રતિક્રમણ કરું છું. ૩૪ ગાથા ૩૫ મીનું અવતરણ ઉપર ૩૪ મી ગાથાથી મન-વચન અને કાયાના મળી ગરિકનું સામાન્યતા પ્રતિક્રમણ જણાવ્યું. હવે આ ૩૫ મી ગાથાથી તેજ મન-વચન અને કાયાના યોગત્રિકનું વિશેષથી પ્રતિકમણ જણાવાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005152
Book TitleShraddh Pratikraman Vandittu Sutra
Original Sutra AuthorShrutsthavir Maharshi
AuthorHanssagar
PublisherMotichand Dipchand G Bhavnagar
Publication Year
Total Pages558
LanguageGujarati
ClassificationBook_Gujarati & Paryushan
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy