SearchBrowseAboutContactDonate
Page Preview
Page 545
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪૦ શ્રી શ્રાદ્ધપતિક્રમણ-વંદિત્તસૂત્રની આદર્શ ટીકાને સરલ અનુવાદ હેતુ-યુક્તિ-પ્રમાણાદિથી સમજાવવામાં શકય નહિ હોવાને લીધે પ્રભુઆજ્ઞાથી જ માનવાના હોય છે, એવા નિગોદ વગેરે સૂક્ષમ પદાર્થોને અંગે અશ્રદ્ધા કરી હોય તેમાં (૩) અને પ્રભુકથિત માર્ગને બદલે ઉન્માર્ગની દેશના આપી હોય તે તે સંબંધમાં (૪) એમ ચારસ્થાને પ્રતિક્રમણ કરવાનું હોય છે. આ ઉન્માર્ગની દેશના, મરીચિ આદિની જેમ દુઃખે અંત પામી શકાય તેવાં ઘોર દુઃખોને હેતુ છે. કહ્યું છે કે-હુમણિur pળ૦ “કપિલ! અહિં પણ ધર્મ છે એવું એક જ વિપરીત વચન બોલવાથી મરીચિ, ર=સદશ નામવાળા કડાકેડી સાગરોપમ કાળ સંસારમાં ભમે અને દુઃખને સમુદ્ર પામ્યો ૧” આ વિપરીત પ્રરૂપણું, જે અનાભાગે થવા પામી હોય તો તેનું પ્રતિક્રમણ છે. શું શ્રાવકેને ધર્મદેશના આપવાનો અધિકાર છે, કે જેથી ઉન્માર્ગની દેશના પ્રસંગ આવે? ઉત્તર-હા, શ્રાવકને ય દેશનાનો અધિકાર છે. ગીતા ગુરૂમહારાજથી સૂત્ર તથા અર્થને યથાર્થ પણે જાણીને “પૂ. ગુરૂદે આ પ્રમાણે કહે છે એ પ્રકારે દેશના આપવામાં બાધ શું છે ? શાસ્ત્રમાં શ્રાવક માટે “ઢરૂ મુખરૂ મુખે કારણ ઘi પરિવા=ભણે, સાંભળે, ચિંતન કરે અને લોકને ધર્મ બરાબર ઉપદિશે.” એ પ્રમાણે વચન છે. આવશ્યક ચૂર્ણિમાં પણ કહ્યું છે કે જો ગિળવારસાવ જમવારજૂહું દવાઉં રે; પુરથાં ૨ વાણg.” એ પ્રમાણે ૪૮મી ગાથાને અર્થ સમાપ્ત. ૪૮ અવતર:-એ પ્રમાણે પ્રતિક્રમણના વિષયો તેમજ હેતુઓ જણાવવા પૂર્વક દરેકને પ્રતિક્રમણ કરવાનું સિદ્ધ કર્યું. હવે સંસારમાં અનાદિકાળથી રહેલા સર્વ જીવોને જુદાજુદા ભામાં પરિભ્રમણ કરતાં બીજા ની સાથે વૈરવિરોધ થયા હોવાનું સંભવિત હોવાથી આ કભી ગાથાદ્વારા એ અનંતા ભવમાંના અનંતા છવો સંબંધીના વૈરવિરોધની ક્ષમાપનાવડે પ્રતિક્રમણ જણાવાય છે. खाममि सव्वजीवे सव्वे जीवा खमन्तु मे ॥ मित्ती मे सव्वभूएसु, वेरं मज्झ न केणइ ॥ ४९॥ જાથા -સર્વ જીવોને ખમાવું છું, સર્વ છે મને ખમજો, સર્વ જી વિષે મારે મિત્રીભાવ છે, મારે કોઈપણ જીની સાથે વૈરભાવ નથી. ૪૯ ત્તિનો માવાર્થ-અનંતભવમાં અજ્ઞાન અને મોહથી ઘેરાએલા એવા મેં જે જે જીને ત્રાસ આપેલ હોય, તે સર્વજીવેને હું માનું છું. તે સર્વજો મારાં દુર્વર્તનને ખમે-મને માફી આપે. ( આ પ્રમાણે બોલવામાં “મારે લીધે તેઓને અક્ષમાને કારણભૂત કર્મબંધ ન થાવ એ પ્રકારનું કાર્ય જણાવ્યું. ) કારણ કે-મારે સર્વજીને વિષે મૈત્રીભાવ છે, મારે કોઈપણ જીવોની સાથે વેરભાવ નથી. અર્થાત “તે સર્વજીને પણ આવા મોક્ષસાધક અનછાનોવડે યથાશક્તિ મુક્તિ અપાવું, તેઓમાંનાં જે કોઈ જીવો પૂર્વભવે મને વિઘકારી થયા હોય તેના વિઘાતમાં ય હું નહિ વર્તે, મારા નિંદકે હશે તેઓ તરફ પણ હું વેષ નહિં કરું” એવા સદ્દવિચારનું કારણ તત્ત્વોનું જાણપણું છે. “જ્ઞાનાંકુશ” નામના ગ્રંથમાં કહ્યું છે કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005152
Book TitleShraddh Pratikraman Vandittu Sutra
Original Sutra AuthorShrutsthavir Maharshi
AuthorHanssagar
PublisherMotichand Dipchand G Bhavnagar
Publication Year
Total Pages558
LanguageGujarati
ClassificationBook_Gujarati & Paryushan
File Size19 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy