SearchBrowseAboutContactDonate
Page Preview
Page 529
Loading...
Download File
Download File
Page Text
________________ કર૪ શ્રી શ્રાદ્ધપ્રતિકમણ-વંદિત્તસૂત્રની આદર્શ ટીકાને સરલ અનુવાદ સર્વમળી ૬૪ પ્રકારે કષાય છે. તેથી સંગમાદિક નિત્ય અનંતાનુબંધીના ઉદયવાળા પણ એ અનંતાનુબંધીને ઉદય સંજવલન જેવો હોવાથી સ્વર્ગે ગયા, શ્રેણિકાદિ અપ્રત્યાખ્યાનીના ઉદયવાળા પણ એ અપ્રત્યાખ્યાનીને ઉદય અનંતાનુબંધી જેવો હોવાથી નરકે ગયા. કષાયના તે ચોસઠેય પ્રકારે સર્વથા તજવા ગ્ય છે. કહ્યું છે કે “વંશનાં રd, વિ પુરોહીદા તંરિ સરૂમરા, દારુ ન મુકુરોf inશા અર્થ:-જે ચારિત્ર દેશે નોડપૂર્વ વર્ષ સુધી પણ પાળ્યું હોય તે સવ ચારિત્રને કષાયમાત્રથી પુરૂષ અંતર્મુહૂર્તમાં હારી જાય છે. ૧ વાયત્તેય નિરોધે, ચત્તા વાડwઢીનં રથ સાચા, વાવાચઢંઢીઘા ઘણા | ૨ | અર્થ:-ઉદયમાં આવવાના કષાયને ઉદયમાં ન જ આવે એ રીતે નિરોધ કરે અને ઉદયમાં આવેલાને નિષ્ફળ બનાવવા (એ કષાયથી જે ઉપઘાતાદિક પ્રવૃત્તિ કરવાની હોય તે ન કરવી અને તેને મનમાં જ સમાવી દેવા ) એ જ કષાની સલીનતા કહી છે. મારા” તત્તમ તાપમર=દ્વાદશાંગીનું એજ તત્ત્વ છે, એ જ સાર છે અને એ જ પરમાર્થ છે કે-ભવભ્રમણમાં સહાયક એવા કષાયેનો ત્યાગ કરી દે છેડા મહુવā=આ લેકમાં જે અતિદુઃખ છે, તે કષાયની વૃદ્ધિ અને અતિ સુખ છે તે કષાયની હાનિ જ કારણ છે. ઝા અન્યદર્શનમાં પણ કહ્યું છે કે-“ચરો યુદ ચતુર્ત અતિ તરણ સ્ત્રવતે તરમફ્રિજમાવવો =કઇ સહિત જે કાંઈ જાપ, વા, હોમહવનાદિ, અથવા દેવપૂજાદિ કરે છે, તે સર્વ કુટેલ કુંભમાંના જળની જેમ ઝરી જાય છે, નકામું થાય છે. ધના સંબંધમાં કરાટ અને ઉત્કરટ નામના બે મહર્ષિનું દષ્ટાન્ત. કરટ અને ઉત્કરટ નામના બે મહષીઓ, કુણાલાનગરીની ખાળપર ચોમાસાભર કાઉસગાધ્યાને રહ્યા હતા. તેની આશાતનાના ભયથી નગરમાં વૃષ્ટિ બંધ થયેલ. તેથી નગરજને તેઓ પર આક્રેશ કરવાને લીધે રોષે ભરાએલા તે બંને મુનિઓએ (એકેક પાદ વારાફરતી) ४धु-" वर्ष मेघ ! कुणालायां, दिनानि दश पंच च । मुशलस्थूलधाराभिर्यथा रात्रौ तथा दिवा ૧ . હે મેઘ ! કુણાલાનગરીમાં વરસી પડ. પણ પંદર દિવસ સુધી વરસી પડ! પણ મૂશળધારાએ વરસી પડ! પણ રાત્રે વરસે તે જ દિવસે વરસી પડ!” એ પ્રમાણે જ વરસાદ પડતાં નગર આદિમાં ઉપદ્રવ થયે, અને તે પાપથી બંને મુનિ કાળ કરી નરકે ગયા. માનના સંબંધમાં “નાનાભાઈ કેવલીઓને કેમ વાંદુ?” એ માનમાં વર્ષ સુધી કાર્યોત્સર્ગ રહેલા શ્રી બાહુબળીજી આદિનું દષ્ટાંત જાણવું. માયાના સંબંધમાં (પૂર્વભવે મિત્રોને વંચીને વધુ તપ કરવારૂપ માયાનાં ફળ તરીકે સ્ત્રીવેદ પામેલા) શ્રી મલિનાથ ભગવંતનું દષ્ટાંત જાણવું. લોભના સંબંધમાં સમાદિત્યાનું દષ્ટાંત છે કે તે શ્રેષ્ઠી, પિતાના એકના એક પુત્રને ય વંચીને-ઠગીને રાત્રે સ્મશાનમાં ક્રોડ સોનૈયાને નિધિ દાટી કષ્ટ ઘેર આવ્યું. તે પણ ચિત્તમાં ચિતા ઉપજી કે-નિધિને એમ સાવચેતીપૂર્વક ગોપચ્ચે હોવા છતાં રખેને કઈ લઈ તે નહિ જાય? એમ અત્યંત માનસિક પીડાને લીધે દાહજવરથી ઘેરાએલ તે શ્રેષ્ઠી, મરણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005152
Book TitleShraddh Pratikraman Vandittu Sutra
Original Sutra AuthorShrutsthavir Maharshi
AuthorHanssagar
PublisherMotichand Dipchand G Bhavnagar
Publication Year
Total Pages558
LanguageGujarati
ClassificationBook_Gujarati & Paryushan
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy