SearchBrowseAboutContactDonate
Page Preview
Page 474
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિત્તસૂત્રની આ ટીકાને સરલ અનુવાદ ૩૬૯ અનિશ્ચયપણે પષધ લેવાનું સામર્થ્યથી આવી જાય છે. નહિ કે - અપર્વને દિવસે પૌષધનો નિષેધ કરે છે. અપર્વ દિવસે પૌષધને કઈપણ આગમમાં નિષેધ સંભળાતે નથી. શંt:-શ્રી આવશ્યક હરિભદ્રીય બૃહદવૃત્તિ તથા શ્રાવકપ્રજ્ઞક્ષિવૃત્તિ વગેરે ગ્રંથોમાં “પપાવાવતિથiધમા તુ પ્રતિનિયતવિસાવૌ ને વિરાજળીયો=પૌષધોપવાસ અને અતિથિસંવિભાગ દ્રત તે અમૂક નિયત દિવસે આચરવા યોગ્ય છે, દરરોજ આચરવાના નથી.” એમ જણાવીને પૌષધ, નિરંતર કરવાને સ્પષ્ટ નિષેધ જણાવે છે. તેનું શું ? સમાધાન –શું તમારૂં ગ્રન્થકારના અભિપ્રાયનું જાણપણું એ વચન, અપર્વદિવસે પ. ષધને નિષેધ જણાવનાર નથી પરંતુ “પવૈદિવસે પૌષધ કરે જ એમ નિયામક છે. જેમ કે–આવશ્યકસૂત્રની વૃત્તિ વગેરેમાં શ્રાવકની પાંચમી પ્રતિમાના અધિકારમાં “વિવ વ્રજરી 1 રા' એ પ્રમાણે વચન છે, તે દિવસે બ્રહ્મચર્ય પાલનનું નિયામક છેઃ નહિ કે-રાત્રે બહાચર્ય પાલનનો નિષેધ દર્શાવનાર છે. જે એ પ્રમાણે શાસ્ત્રકારને અભિપ્રાય સમજવામાં આવે નહિ, અને રાત્રે બ્રહ્મચર્યને નિષેધ કયો છે,’ એમ ઉલટો જ અર્થ ઉપજાવવામાં આવે, તે શાસ્ત્રકારે “પાંચમી પ્રતિમાના આરાધક શ્રાવકે રાત્રે અબ્રહ્મચારીપણે જ રહેવું છે એ પ્રમાણે પાપપદેશ જ આ ગણાય, અને રાત્રે બ્રહ્મચર્ય પાલે તે તે શ્રાવકને પ્રતિમા વહનમાં અતિચાર લાગવાને પ્રસંગ ઉભું થવા પામે! અતિથિસંવિભાગ પણ પિષધના પારણ સિવાયના અન્યદિને કરણીય છે જ. વળી જે શ્રી હારિભદ્રીય આવશ્યક બ્રહવૃત્તિ અને શ્રાવકપ્રજ્ઞસિ વગેરે ગ્રંથમાંના તે “ઘોઘવાતાતિથિવિમા તુ પ્રતિનિયતવિસાયો.” વચનનાં બલથી પૌષધ, પર્વના દિ. વસે જ કરવાનું છે અને અપવેદિવસે પૌષધ કરવાની અનુમતિ જ નથી” એ પ્રમાણે નિયમ કરવા જશે, તે તે બંને વ્રતનું યોગ અને ક્ષેમપણું સમાન હોવાથી અતિથિસંવિભાગ ત્રતમાં પણ તે પ્રમાણે પૌષધના પારણે જ અતિથિ વિભાગ કરવો અન્યથા ન કર ” એ પ્રમાણે નિયમને પ્રસંગ ઉભે થશે, અને પૌષધના પારણાના દિવસ વિના શ્રાવક, અતિથિસંવિભાગ વ્રત કરે=મુનિરાજને આમંત્રીને પડિલાલે તો અવિધિને દેષ માનવો પડશે. માટે જેમ અતિથિસંવિભાગ પણ પૌષધના પારણા સિવાયના અન્યદિને કરણીય છે જ, તેમ અપ-- વૈદિને પૌષધ કરે તે પણ કરણીય છે જ તેમાં કોઈ અવિધિ નથી, પરંતુ અપર્વમાં પણ સાવધનું વજન વગેરે ધર્માચરણ થવાથી વિશેષ લાભ જ સમજ. પિષધવ્રતનું ફલ શાસ્ત્રમાં આ અગીઆરમાં પપધવતનું ફલ આ પ્રમાણે કહ્યું છે કે-“વમળવાઇi = ૧ પૂ. . શ્રી એ પિતાના અનુવાદમાં અહિં પણ “લઘુ પર્વોમાં' લખેલ છે તે અધમૂલક છે. ૨ પૂ. ઉપાડ એ અહિં પણ “ તથા પૌષધનું ફલ તો સ્પષ્ટ છે ' એમ ટુંકેથી પતાવીને પિતાના અનુવાદમાં મૂળ ગ્રંથકારની સાત સંસ્કૃત પંક્તિને આ શિર્ષક તળેને અનુવાદ જ ઉડાવી દીધા છે તે શોચનીય છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005152
Book TitleShraddh Pratikraman Vandittu Sutra
Original Sutra AuthorShrutsthavir Maharshi
AuthorHanssagar
PublisherMotichand Dipchand G Bhavnagar
Publication Year
Total Pages558
LanguageGujarati
ClassificationBook_Gujarati & Paryushan
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy