SearchBrowseAboutContactDonate
Page Preview
Page 446
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિત્તસૂત્રની આદર્શ ટીકાને સરલ અનુવાદ ૩૪૧ અનાચારપણું છે.) એ પ્રકારે સામાયિકમાં તે પાંચ અતિચારે સેવાયા હોય અને તેથી સામાન યિક દૂષિત થવાને લીધે જે કઈ અતિચાર લાગેલ હોય તે અતિચારની હું નિંદા કરૂં છું અર્થાત આ પહેલા શિક્ષાવ્રતમાં તેમાંનું જે કાંઈ ઉલટું આચરણ સેવાયું અવિધિએ સામાયિક હોય તેને હું નિંદું છું. કોઈ કહે છે કે “દ્વિવિધ ત્રિવિધે લીધેલા કરી વ્રતભંગ કરવા કરતાં સામાયિક વ્રતમાં “મનને રોકવું અશક્ય હેવાથી” દુધ્ધનને સામાયિક ન કરવું ઉત્તમ” સંભવ છે, અને તેથી સામાયિકને અભાવ જ છે. તેમજ સામાએ વિપરીત કથન છે, ચિકવ્રતના ભંગનું પ્રાયશ્ચિત આવે છે માટે એ રીતે સામા યિક કરવા કરતાં ન કરવું એ ઉત્તમ છે.” તેવા કથનકારને શાસ્ત્રકાર કહે છે કે-“એ પ્રમાણે બોલવું નહિ. કારણકે–સામાયિક લેવામાં મન-વચન અને કાયાથી ન કરું અને ન કરાવું એ પ્રમાણે છે નિયમે છે. તેમાં મન સંબંધીના તે બે જ નિયમ છે. છમાંથી તે બે નિયમોનો અથવા તે બેમાંથી પણ કેઈ એક નિયમનો કદાચ અનાભેગાદિથી ભંગ થવા પામે તે પણ બીજા પાંચ નિયમ અખંડ રહેતા હોવાથી સામાયિક વ્રતને સર્વથા અભાવ થતું નથી. વળી તેમાંના માત્ર એક મનનું દુર્બાન થઈ જવા પામે તે તેની “મિચ્છામિ દુક્કડં ” આપવા માત્રથી શુદ્ધિ કહેલી હોવાથી સામાયિકવતને સર્વથા અભાવ થતું નથી. જે તેવી કલ્પનામાત્રથી સામાયિક લેતા અટકવું વ્યાજબી મનાય તે સર્વવિરતિ સામાયિક લેવું તે પણ નકામું ગણાય! તેમજ કેટલાકે જે “અવિધિથી અનુષ્ઠાન કરવાં તેના કરતાં તે ન કરવાં સારાં છે” એમ કહે છે તે પણ અયુક્ત છે. કહ્યું છે કે-ગાવિહેવાયા વરમાશં સૂચવશvi મતિ સમાજૂ પારિજી મ ણ ગુણ જ અંદુ II અર્થ:–“અવિધિએ કરવા કરતાં ન કરવું સારૂં” એ વચનને સર્વજ્ઞ ભગવંતે “બસૂર્ય”=થતબહારનું (અથવા કૂક'=સૂત્ર) વચન જણાવે છે. કારણકે-અવિધિએ અનુષ્ઠાન કરવાથી ડું પ્રાયશ્ચિત છે; પરંતુ અનુષ્ઠાન જ ન કરવામાં તો મોટું પ્રાયશ્ચિત છે. ” વળી અતિચરિત પણ અનુષ્ઠાન, કરતાં કરતાં કાલે કરીને અનુષ્ઠાનને અભ્યાસ થઈ જવાથી નિરતિચાર બને છે. અભ્યાસ જ કાને શુદ્ધ બનાવી આપે છે. ધનુષ્યધારી વગેરેને પણ શરૂઆતથી જ ક્રિયાની શુદ્ધિ હોતી નથી. કર્ણ અને અર્જુન વગેરેની જેમ અભ્યાસથી જ કિયા શુદ્ધ થાય છે. લખવું, ભણવું, ગાવું, નૃત્ય કરવું વગેરે કલાઓ પણ પ્રાય: અભ્યાસથી જ નક્કર ક્રિયા બને છે. પત્થર પર પાનું બિંદુ પણ એક વખત પડવા માત્રથી પત્થર પરથી નીચે દડી જતું નથી. માટે જ્યારે જ્યારે ટાઈમ મળે ત્યારે મન શુદ્ધિ વગેરેમાં બરાબર પ્રયત્ન જારી રાખીને સામાયિક પુનઃ પુનઃ કરવા ગ્ય છે. અને એ પ્રમાણે આગમમાં કહ્યું છે કે-સામારૂત્ર ૩ વણ, સમ રૂા સાવલો વરૃ + Uા જારમાં વહુનો સામારૂ સુન્ના છે અર્થ:-સામાયિક, તે શ્રાવક જેમ જેમ કરતું જાય તેમ તેમ સાધુ જેવો બની જાય. માટે શ્રાવકે સામાયિક બહવાર કરતા રહેવું. ૧. કારણકે-શ્રાવકને નિવૃત્તિ એક દિવસમાં બે જ વખત નહિ, પરંતુ ઘણી વખત મળવાનો સંભવ છે. આ સંબંધમાં વિશેષ યુક્તિઓ પૂજ્ય કુલમંડનસૂરિપ્રણીત વિચારામૃત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005152
Book TitleShraddh Pratikraman Vandittu Sutra
Original Sutra AuthorShrutsthavir Maharshi
AuthorHanssagar
PublisherMotichand Dipchand G Bhavnagar
Publication Year
Total Pages558
LanguageGujarati
ClassificationBook_Gujarati & Paryushan
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy