SearchBrowseAboutContactDonate
Page Preview
Page 358
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રા શ્રાદ્ધપ્રતિકમણુ-વંદિત્તસૂત્રની આડશ ટીકાને સરલ અનુવાદ ૨૫૩ બુદ્ધિમાને હંમેશને માટે યાદ કરવાની અતિહિતકારી ઉક્તિ. વળી ગૃહસ્થને ઘણે પરિગ્રહ હોય છતાં પણ તે પરિગ્રહમાંથી તેને તે છેડે જ પરિગ્રહ ઉપકારી છે; બાકીને પરિગ્રહ તો બીજના ઉપભેગને માટે જ છે. (એટલે પિતાના ઉપભેગને જ નથી તે તે વધારાને પરિગ્રહ તેગૃહસ્થને કેવલ તે વધારાના પરિગ્રહને જાળવી રાખવો વિગેરે ચિંતા આદિથી આકુલવ્યાકુલપણું અને અત્યંત મૂછ વિગેરેથી આ ભવ અને પરભવને વિષે દુઃખને જ હેતુ છે. કહ્યું છે કે--સો ગાય દુજતી હોય છતાં પણ તેને તે એક ગાયનું દૂધ મળવાનું છે. સે મૂડા ધાન્ય હોય છતાં પણ તેને તો દિવસભરમાં શેર કે દેઢ હાય શેર પ્રમાણુજ મળવાનું છે. સુંદર પ્રાસાદ છે છતાં તેમાં તેને માટે તે ખાટલા પ્રમાણે જ સ્થાન છે. એ સિવાયને બધે જ પરિગ્રહ બીજાને છે. જે ૧ . આ વસ્તુ કેઈ નૃપતિને ઉદ્દેશીને કઈ કવિ, કોઈની ઋદ્ધિ જોઈને મેહ પામતા ભદ્રિક ધમીજનને વધુ તલસ્પર્શી રીતે સ્પષ્ટ કરીને વર્ણવી બતાવે છે કે-હે. ભદ્રિક! એ સઘળી દ્ધિમાંથી રાજાના ઉપભોગને માટે તે માત્ર-બે વસ્ત્ર, એક રાણી; એક શય્યા, એક આસન એક હાથી, એક અ% અથવા એક રથ અને અંતસમય પ્રાપ્ત થયે સતે વૈદ્ય કહ્યું હોય તેટલી જ ખાનપાનની માત્રા છે! બાકીનું બધું જ પારકાને માટે છે એમ જાણી લે તારા પરિગ્રહના અલ્પપણામાં અલ્પચિંતા, નિર્ભયતા વિગેરે ગુણો છે. કહ્યું છે કે -જેમ જેમ લભ અલ્પ હોય અને જેમ જેમ પરિગ્રહને આરંભ અલ્પ હોય તેમ તેમ સુખની અત્યંત વૃદ્ધિ થાય છે. અને ધર્મની સમ્યફ પ્રકારે સિદ્ધિ થાય છે. ૧ છે માટે ઈચ્છાને વિસ્તાર રૂપીને સંતેષ પિષવાને માટે જ પ્રયાસ કરે: કારણકે-સુખનું મૂળ સંતોષ છે. કહ્યું છે કે - “મનુષ્યપણાને સાર આરોગ્ય છે, ધર્મને સાર સત્ય છે, વિદ્યાને સાર નિશ્ચલતા છે અને સુખ વિગેરેને સાર સંતેષ છે. ( ૧ | હે ચિત્ત ! જે તું જ્યાં છે ત્યાં જ અને જે સ્થિતિમાં છે તે જ સ્થિતિમાં રતિ બાંધીશ તો દુઃખનું ભાન બનીશ નહિ. ૨ ” તેથી કરીને સંતોષરૂપી પાળ બાંધવાવડે તેની વેળાની મયાદા બહાર ફેલાતા લેભરૂપી મહાન્ સમુદ્રને રેકીને આ ઈચ્છા પરિમાણ ઘત યથાશક્તિ સ્વીકારવું અને તેનું સમ્યક્ પ્રતિપાલન કરવું. દરરોજ પિતાના નિયમને અવસર પામીને સંક્ષેપ વિગેરે કરવા વડે ફરી ફરી યાદ કરે. પ્રશ્ન-જ્યારે સ્વીકારેલા પરિમાણથી ધનધાન્યાદિ સમૃદ્ધિ અધિક થઈ જાય તે શ્રાવકે કેમ કરવું ? પરિમાણથી પણ ધન ઉત્તર-સ્વીકારેલ પરિમાણથી ધન વિગેરે જે જે વધે તે ધર્મ વધી જાય તે ધર્મમાં માર્ગમાં જ જેડી દેવું, વેપાર અને ઉપગ વિગેરેના ઉપયોગમાં જ ખરચવું. લેવું નહિં. એ પ્રમાણે કરવાથી આ વ્રતને લેશમાત્ર અતિચાર લાગતું નથી. તેમ કરવાથી તે દાન વિગેરે સુકૃતનાં આરાધનવડે. ચંચલ ગણાતી લક્ષ્મીને નિયંત્રિત કરી (બાંધી લીધી) ગણાય ! નૈષધમાં પણ કહ્યું છે કે – pgવમવઠથયાં :, સંવ ” અર્થ-પૂર્વભવે કરેલા સુંદર તપન વિભવ=મહાજ્યના વ્યય નાશથી “દધા:-માતા: શ્રીમા =ઢમવિદ્યાસા:’ પ્રાપ્ત થએલા આ લદ્દમીના વિલાસ, ૧ સમ ૫ કંલાક છે ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005152
Book TitleShraddh Pratikraman Vandittu Sutra
Original Sutra AuthorShrutsthavir Maharshi
AuthorHanssagar
PublisherMotichand Dipchand G Bhavnagar
Publication Year
Total Pages558
LanguageGujarati
ClassificationBook_Gujarati & Paryushan
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy