SearchBrowseAboutContactDonate
Page Preview
Page 356
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વાદિનુસૂવાની આદર્શ કાને સરલ અનુવાદ ૨૫ મેર-કુકડા–પિપટ-મેના-ચકોર-કબુતર વિગેર દ્વિપદ ગણાય છે, અને ગાય ભેંસ વિગેરે આગળ કહી ગયા તે દસ પ્રકારના ચતુષ્પદ ગણાય છે. આ દ્વિપદ અને ચતુષ્પદને જે ગર્ભમાં દ્વિપદ કે ચતુષ્પદ હોય તેને તે બહાર નહિં દેખતા હોવાનું કારણ બતાવીને સંખ્યામાં ન ગણે તે દ્વિપદ અને ચતુષ્પદના પ્રમાણને અતિક્રમ થવા રૂપ પાંચમો અતિચાર છે. અથવા ધન અને ધાન્યની માફક તે પછીના ક્ષેત્ર અને વાસ્તુ વિગેરે પરિગ્રહના પણ સાતેય પ્રકારને માટે “ચોમાસું વિગેરેના નિયમની મુદ્દત પૂરી થયે સતે હું આ વસ્તુ લેવાને છું, માટે બીજા કોઈને આપીશ નહિ એ પ્રમાણે કહીને પોતાના મુખ્ય વાત તે એ છે કે તે ક્ષેત્ર-વાસ્તુ વિગેરે પરિગ્રહ પરની નિશ્રાએ રાખી મૂકે તો શ્રાવકે, હેય તે પરિગ્રહનું તેથી અતિચારપણું જાણવું. વિવેકી એવા શ્રાવકને માટે મુખ્ય જ પરિમાણ વ્રત લેવું: વાત એ છે કે-(નિયમ લેતી વખતે પિતાની પાસે) પહેલાં જે એ શક્તિ ન હોય તે જ વિદ્યમાન એ ધન-ધાન્યાદિ નવ પ્રકારનો પરિગ્રહ છે તે, સર્વ ઈચ્છા પ્રમાણ વ્રત લેવું વર્તમાન પરિગ્રહને પણ કાંઈક સંક્ષેપ કરવા રૂપ પરિગ્રહ પરિમાણુવ્રત સ્વીકારવું. જે એ પ્રમાણે વ્રત લેવા શક્તિમાન ન હોય તો “વિદ્યમાન પરિગ્રહ હજાર કે પાંચ હજાર રૂપી આ આદી પ્રમાણુ હોય અને ઈચ્છા દસ હજાર-પચાસ હજાર કે લાખની હોય, તે તેટલી” ઈછા પ્રમાણે પરિગ્રહનું પરિમાણુ તે અવશ્ય કરવું. કારણ કે આ ઈછા મુજબ પરિગ્રહ પરિમાણુવ્રત સ્વીકારનારને પિતાની ઈચછા હોય તે પ્રમાણે વ્રતનો સ્વીકાર થઈ શકતું હોવાથી શ્રાવકોને આ ઈચ્છા પ્રમાણ પરિગ્રહવ્રત લેવું સહેલું છે. કહ્યું છે કે–આત્મજ્ઞાન થવાને લીધે પ્રકટેલ વિવેકરૂપ નિર્મલ બુદ્ધિવાળા આ આત્માઓ અહો ! દુષ્કર કાર્ય કરે છે! કે-જેથી ઉપભેગ ભોગવવાવાળા હેવા છતાં પણ નિસગૃહ એવા તે ભાગ્યશાળીઓ ધનને તજી દે છે!!જ્યારે અમે પહેલાં ધન નથી, વર્તમાનમાં મેળવતા નથી અને ભવિષ્યમાં મળશે તેવી ખાત્રી નથી છતાં પણ માત્ર ઈચ્છાપરિગ્રહ પરિમાણ તરીકેનું વ્રત પણ કરવાને શક્તિમાન નથી ! | ૧ | ફાંજ :-ઘરમાં સે રૂપીઆ હવાને પણ સંદેહ હોય અને આ પ્રકારના પરિગ્રહ પરિમાણમાં હજાર રૂપીઆ અને લાખ રૂપીઆનું પરિમાણ કરે છે. આથી આ પ્રમાણે નિયમ કરવામાં ઈચ્છાવૃદ્ધિ રૂપ અવગુણ થવાનો સંભવ હોવાથી તેને તે વ્રત લેવામાં ગુણ શું થયા? સમાધાન-ઈચ્છાની વૃદ્ધિ તે હંમેશાં સર્વ સાંસારિક જીવને નિયમ લીધા પહેલાં પણ હોય જ છે. અને તે પ્રમાણે શ્રી નમિરાજર્ષિ કહે છે કે–સંસારને વિષે લુબ્ધ માણસને કૈલાસ પર્વત જેવડા સુવર્ણ અને રૂપાના અસંખ્યાત પર્વતો પ્રાપ્ત થાય તે પણ તેથી તેને “કાંઈ જ નથી, એમ લાગ્યા કરે છે ! કારણ કે-ઈચ્છા છે તે આકાશની જેમ અનંતી છે. જે લ છે તેમાં ૧ આનંદ-કામદેવ આદિ શ્રાવકોએ દસ દસ હજાર ગોકુળ વિગેરે વિશ્વમાન હતાં તેમાંથી પાંચ પાંચ ગોકુલ વિગેરેનું પરિમાણ કરેલ છે. “વીસ હજાર ગોકુલ વિગેરે થયું જાય તો પછી તેથી વધુ ગેલ વિગેરેને ત્યાગ એ રૂ૫ ઈરછા પરિમાણુ કરેલ નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005152
Book TitleShraddh Pratikraman Vandittu Sutra
Original Sutra AuthorShrutsthavir Maharshi
AuthorHanssagar
PublisherMotichand Dipchand G Bhavnagar
Publication Year
Total Pages558
LanguageGujarati
ClassificationBook_Gujarati & Paryushan
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy