SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ રર૮ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિતસવની આવશે ટીકાને સરલ અનુવાદ સસરાએ કહ્યું-“આ ક્ષેત્રના માલીકને અતિ ઘણું ધાન્ય થશે. આ સાંભળીને શીલવતીએ કહ્યું–ખાધેલું ન હોત તે તે વાત સાચી છે.” એમ સાંભળીને શેઠે વિચાર્યું કે આ ક્ષેત્ર કઈ પણ સ્થળેથી અલ્પ પણ ખાધેલું, જણાતું નથી. તેથી આ બાબતમાં પણ વિપરીત બાવનારી આ નકકી અવિનીતા છે. ૬૭ થી દલો આગળ જતાં બહુ કાદવ અને જલવાળી આવેલ નદીમાં રથ ચલાવવા રથથી જલદી ઉતરીને તથા જેડા કાઢીને શેઠ નદી ઉતર્યો. હવા અને “આ ભીંજાશે એટલે ખરાબ થઈ જશે” એ પ્રમાણે શેઠે શીલવતીને બહુ કહેવા છતાં પણ તેણે મોજડી ઉત્તમોત્તમ હતી છતાં નદી ઉતરતાં ઉતારી નહિ! અને નદી ઉતરી! | ૭૧ “ધિકાર છે કે-આ સ્ત્રી, વારે તેમ અવળી ચાલનારી છે!” એ પ્રમાણે ખેદિત થએલા શેઠે, આગળ જતાં ઘણું ઊંડા પ્રહાર લાગેલા એક સુભટને જોઈને “શું આનું કૃષ્ણની જેવું પરાક્રમ!' એમ બોલી તેની પ્રશંસા કરી. તે સાંભળીને શીલવતીએ કહ્યું-“આને શ્વાનની જેમ કર્યો છે તે ઘણું ઠીક થયું !” ૭૨-૭૩મા શેઠ વિચારે છે કે ઉત્પાતની જેમ દુઃખે સહન થાય તેવા પ્રકારોને જે સહન કરે છે તે સુભટ કેમ નહિ? અહો ! આ દુષ્ટ પ્રતિકુલ જ બબડે છે! I૭જા એ પ્રમાણે મનમાં અત્યંત ખેદ પામતા શેઠે આગળ જતાં જાણે સ્વર્ગમાંથી ઉતરી આવ્યું હોય તેવું એક અપૂર્વ દેવળ દેખીને કહ્યું-આ સુંદર દેવાયતન છે.” તે સાંભળીને વહુએ કહ્યું એમ નથી, પરંતુ અનાયતન છે!” આ સાંભળીને શેઠ વિચારવા લાગ્યું કે આ સ્ત્રી, સર્વત્ર ઉમરની જેમ લવે છે. ૭૬ા આગળ જતાં અપાર જોથી ભરેલ હોવાને લીધે કંઈનું પણ દુખે ગમનાગમન થઈ શકે તેવા નગરની મધ્યમાંથી રથ હાંકીને જતાં શેઠ બેજેમાં અતિશય જ વસે છે તે આ નગર દષ્ટિને કેવું સુખકારી છે?” ત્યારે શીલવતીએ કહ્યુંઆ નગર શુન્ય રણ જેવું દેખાય છે!” |૭૮ વળી આગળ જતાં એક ગામડામાં મધ્યાહે પેસતાં શેઠ બે - “આ ગામ શન્ય જેવું છે” ત્યારે વધુએ કહ્યું-“શ્રેષ્ઠ વાસવાળું છે. I૭ફા આથી ખેદથી ભરેલા હૃદયવાળો શેઠ વિચારવા લાગ્યો કે સાપણની જેમ દુષ્ટ હૃદયવાળી આ સ્ત્રો, વક્રશિક્ષિતા ઘડીની જેમ દુવિનીતા છે. ૮. તેથી પુત્રે જણાવેલ તેની સર્વ દુષિતા સત્ય જ છે અથવા પ્રત્યક્ષપણે અસત્યવાદી માણસને કૃત્ય શું અને અકૃત્ય શું? ૮૧ તેવામાં તે જ ગામડામાં રહેતા શીલવતીના મામાએ તેઓને આવ્યા જાણને પરમ આદરથી શેઠને તેમજ પોતાની ભાણેજને પિતાને ઘેર આમંત્રીને ઉત્તમ યુક્તિપૂર્વકનાં આદરવચનેવાડે બહુ ભક્તિપૂર્વક જમાડ્યાં અને તે બંનેને સત્કાર કર્યો. અવસરે બીજે કઈ મળ્યું હોય તે પણ માન આપવાને ચગ્ય છે, તે પછી સ્વજન માટે તે પૂછવું જ શું? ૫૮૨-૮૩ મધ્યાહ્ન, વખતના તીવ્રતાપને પણ અવગણીને ઠેકી જમીને તરત જ રથ લઈ આગળ ચાલ્ય! અનવસ્થિત, ચિત્તવાળાઓને સુથાને પણ બહુ રોકાવાનું ક્યાંથી હોય? ૮૪ો અને ગામની બહાર કેટલેક દ્વાર ગયા બાદ તીવ્રતાપને લીધે થડે ટાઈમ ગાળવાની ઈચ્છાએ શેઠ રથથી ઉતરીને નજીકમાં રહેલા વડની છાયામાં બેઠે, અને તે વહુ, શેઠે વડની છાયામાં બેસવાનું કહ્યું છતાં પણ રસાએલ ૧-દુરારિ x ૨-કામટા x ૩-૩ * Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005152
Book TitleShraddh Pratikraman Vandittu Sutra
Original Sutra AuthorShrutsthavir Maharshi
AuthorHanssagar
PublisherMotichand Dipchand G Bhavnagar
Publication Year
Total Pages558
LanguageGujarati
ClassificationBook_Gujarati & Paryushan
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy