SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ ---- ૧૦ર થી શ્રાદ્ધપ્રતિક્રમણ-વાદિસત્રની આર ટીકાના સરલ અનુવાદ રાજન ! પૂર્ણ પ્રીતિવાળા એવા તે યમરાજને મેં અહિં આવવાને આમંત્રણ આપ્યું, એટલે યમરાજે કહ્યું-બહ આદર કરવાથી હું તો આવીશ, પરંતુ જે મારા પર મિત્રતા ધરાવે છે મંત્રિ વિગેરે સમસ્ત બેલ સહિત તારે તે નેતા એકવાર અહિં આવે, જેથી તેને ઉચિત કાંઈક ભક્તિ કરીએ! ૩૯૯-૪૦૦ || આ માટે પરમ આદરભય હૃદયવાળા યમરાજે મને પ્રાર્થના કરવાની જેમ વારંવાર કહીને અને દિવ્ય વસ્ત્રો તથા અલંકાર આપીને કહ્યું કેઆ દિવ્યરૂપવાળી, ભાગ્યશાળી અને મને માન્ય એવી મારે ઘણય કન્યા છે, તેમાંથી આ એક કન્યાને તું પરણ, અને અમોને હર્ષનું સ્થાન પ્રાપ્ત કરાવ. ૪૦૧-૪૦૨ / યમરાજની એ વાત સાંભળીને મેં કહ્યું - હે રાજન્ ! (યમરાજ!) કન્યાએ તે મારા રાજા-મંત્રી વિગેરેને સહુસહુને ઉચિત આપવા ગ્ય છે, મને તો આટલાથી જ સંતોષ છે. કારણ કેનેકર માટે સ્વામીની સેવાનું ફલ ભરણપોષણ છે. / ૪૦૩ / દુશ્મનને બાંધવામાં તેને વધ કરવામાં–તેની જોડે યુદ્ધ કરવામાં તેને કિલ્લે લેવામાં-સ્વામીનો મહેલ કરવામાં અને સ્વામીને ત્યાંના મહોત્સવમાં કષ્ટ સેવકો ઉઠાવે છે, પરંતુ તે દરેક કષ્ટોનું સમસ્ત ફલ નેતાનું જ ગણાય છે. ૪૦૪ | મારી આ વાત સાંભળીને યમરાજે કહ્યું-“હે ભાઈ ! તે પછી તારે રાજા વિગેરેને અહિં જલદિ મેકલવા રહે છે.” એ પ્રમાણે યમરાજે ઘણું ઘણું કહીને મને અહિં મોકલ્યું. અને આપને અતિ ઉત્કૃષ્ટ બહુમાનથી બેલાવવાને માર્ગ, બતાવવાને અને આપના પ્રતિનું બહુમાન દેખાડવાને માટે તે યમરાજે તેના આ વૈધ્યત નામના પ્રતિહાર-દ્વારપાળને મેકલ્યા છે અને આ વૈધ્યત જ દેવતાઈ શક્તિથી મને અહિં જલદી લાવ્યું છે માટે હે રાજન ! આપ તેની નગરીએ પધારો. સજજનો, અથીજને ઈષ્ટ રીતે વર્તવાવાળા હોય છે. ૪૦૫-૬-૭ તે વખતે જેવું હરિબલે કહ્યું તેવું, અને તેનાથી અધિક વર્ણન હરિબલની સાથે આવેલા તે યમરાજના દ્વારપાળે પણ રાજાને કહ્યું! ખરેખર દેવતાઈ પુરૂષ કહેવા બેસે તેમાં પ્રથમની વાત સાથે વિસંવાદ આવેજ કયાંથી | ૪૦૮ | એ વખતે પોતે મંત્રી હોવા છતાં ફરજ ભૂલીને રાજાને દુબુદ્ધિ દેનારા તે પૂર્વ મંત્રીએ પણ હરિબલની અને યમરાજના દ્વારપાળની તે વાતને વેદની વાત જેવી માની લીધી! ખરેખર, સુંદર રીતે ગોઠવેલી મંત્રણાને તત્ત્વરૂપે જાણવામાં બ્રહ્મા પણ જડ બની જાય છે! I ૪૦૯ | હરિબલ અને યમરાજનાં એ પ્રમાણેનાં પિતાના આશય (દુરાશય)ને ઉન્માદ કરાવનારાં બંધ બેસતાં વાકથી રાજા-મંત્રી વિગેરે બધાજ હીરબલની વાત સાંભળીને યમપુરીમાં જવાને ઉતાવળ કરવા લાગ્યા છે ૪૧૦ | માણસને રાજા વિગેરેની યમપુરીમાં યમનું નામ સાંભળે ત્યાં બીક લાગે છે; જ્યારે તે વખતે સત્વર પહોંચવાની ઉત્કંઠા તે યમ પાસે જવું તે કૌતુકરૂપ બન્યું! કે-જેથી રાજા-મંત્રી વિગેરે પણ યમને ઘેર “હું પહેલો જઉં, હું પહેલે જઉં! એ પદ્ધતિથી જવાની ઈચ્છાવાળા થયા ! અહહ શું લેભન મહોત્સવ! ૧૧ પહેલાં દાંત ૧-ચશ્માના ૨ મૃત્યું * ૧-વિવો x (અર્થાત જતુમ છવઃ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005152
Book TitleShraddh Pratikraman Vandittu Sutra
Original Sutra AuthorShrutsthavir Maharshi
AuthorHanssagar
PublisherMotichand Dipchand G Bhavnagar
Publication Year
Total Pages558
LanguageGujarati
ClassificationBook_Gujarati & Paryushan
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy