SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૬ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિત્તસૂત્રની આદર્શ ટીકાને સરલ અનુવાદ આબાદ ઉગરીને આવેલ જોઈને) વિસ્મય થવા પૂર્વક હર્ષિત થયેલી અને પ્રકુલપણે મંદ હાસ્યમય બનેલી વસન્તશ્રીઓ તથા કુસુમશ્રીએ દેવ જેવા દિવ્યશરીરવાળા હરિબલને તુંબડામાંનાં અમૃતથી સિંચ્યા ! | ૩૩૦ | બીજાને માટે કષ્ટ ઉઠાવનારા જનેને ખરેખર વિપત્તિ પણ સત્વર સંપત્તિમાં પરિણમે છે ! શું અગુરૂ (અગર) ને બાળવાથી સુગંધનો વિશાલ ફેલા થાય એ વિધિ નથી ? | ૩૩૧ | હરિબલ પિતાના મકાનમાં પિતાની સ્ત્રીઓ સાથે જોવામાં પ્રેમવાર્તા કરે છે. તેવામાં ત્યાં વિષય વાસનાવડે અત્યંત ઉન્મત બનેલ રાજા, ઉતાવળે યથેચ્છ પણે આવી રહ્યો છે! | ૩૩૨ ને રાજાને આવતો જાણીને તે બંને સ્ત્રીઓએ પિતાના સ્વામી હરિબલને કહ્યું–હે પ્રિય! આપ છૂપી રીતે સંતાઈને અમારું કાંઈક કૌશલ્ય જુએ. A ૩૩૩ / હરિબલે એ પ્રમાણે કયે સતે-શાણી એવી તે બંને સ્ત્રીઓએ રાજાને આકર્ષણ થાય તેવી રીતે સત્કાર કરે-આસન આપવું વિગેરે બધું જ સર્યું! છે ૩૩૪ . અને રાજાને પૂછવા લાગી કે હે દેવ ! આપને અત્યારે કેમ પધારવું થયું ?' રાજા પણ ગાંડાની જેમ વિના કારણે જ અત્યંત હસતે અને ઉલ્લસ બે-“હે માન્ય સ્ત્રીઓ ! યુવાન યુવાનને લેવા આવે તેમ તમારી પ્રતિ અતિ ઉત્કંઠાવાળો એ હું તમે બન્નેને હરિબલને ઘેર આવેલા મારા મહેલે લઈ જવા સારૂ અહિં આવ્યો છું, તે તમે શું વિષયાંધ રાજાને જાણતી નથી ? ' . ૩૩૫૩૬ રાજાનું તેવું બોલવું સાંભળીને હરિબલની સ્ત્રીઓને તે બંને સ્ત્રીઓ રાજાને કહેવા લાગી—“હે નેતા! એ પ્રમાણે ઉપદેશ અને રાજાને બેસવું તે આપને-નેતાને માટે ઉચિત નથી કારણકે રાજાને દુરાગ્રહ. “સેવકજનનું પિષણ કરે છે માટે” પિતા કહેલ છે. ૩૩૭ વળી દેવરમણી જેવી મનહર હોય તે પણ પરનારી અત્યંત પ્રકારે તજવા ગ્ય છે. તેમાં પણ માણસોએ સેવકની સ્ત્રીને તે પુત્રવધુની જેમ વિશેષ પ્રકારે દૂરથી જ તજવા ગ્ય છે. જે ૩૩૮ 1 ગુનેગાર પ્રજાને દંડ કરતા હોવાથી રાજા તો અકૃત્યને અટકાવનારા હોય છે. જે તે પણ અકૃત્યકારી બને તે પછી તેની પ્રજાનાં અકૃત્યને અટકાવનાર કેશુ? છે ૩૩૯ | પહેરેગીર તસ્કરનું કામ કરે અને રક્ષક માણસ ધાડ પાડે છે તે પાણીમાંથી અગ્નિ અને સૂર્યથી અંધકાર ફેલાવા જેવું છે! | ૩૪૦ હે રાજન ! આ બંને નારીઓ મને ભજશે-મારાથી વિષયની વાંછું થશે એવો તમને અસદ્ આગ્રહ કેમ છે? અમે પ્રાણાને પણ શીલને મલીન કરશું નહિ” ૩૪૧ મે કહ્યું છે કે - 'वरं श्रृगोत्तूंगाद्, गुरुशिखरिणः क्यापि विषमे । पतित्वाऽयं कायः, कठिनदृषदन्तर्विदलितः॥ वरं न्यस्तो हस्तः, फणिपतिमुखे तीक्ष्णदशने । वरं वह्नौ पातस्तदपि न कृतः शीलविलयः ॥ ३४२ ॥ અર્થ-મહાન પર્વતના ઉંચા શિખર ઉપરથી કોઈપણ વિષમ સ્થળે પડીને કાયાને કઠીન પત્થરો વચ્ચે ચૂર કરી નાખે તે શ્રેષ્ઠ છે તીક્ષણ દાંતવાળા શેષનાગના મુખમાં હાથ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005152
Book TitleShraddh Pratikraman Vandittu Sutra
Original Sutra AuthorShrutsthavir Maharshi
AuthorHanssagar
PublisherMotichand Dipchand G Bhavnagar
Publication Year
Total Pages558
LanguageGujarati
ClassificationBook_Gujarati & Paryushan
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy