SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૨ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વદિન ગત્રની આદર્શ ટીકાને સરલ અનુવાદ કાંઈ દૂર છે! છે ૧૪૦ છે જેને પાર પામવો મુશ્કેલ છે અને જેની અંદર મનાથી દુખે પ્રવેશી શકાય તેવા એ ભીષણ સ્વરૂપવાળા સમુદ્રને દેખીને “ભવ્ય પ્રાણી સંસારને દેખો ઉદ્વેગ પામે.” તેમ હરિબલ ઉદ્વેગ પામ્ય ! છે ૧૪૧ છે અને વિચારે છે કે-“પ્રિયાએ ના કહી છતાં પણ ભવિતવ્યતાના ગે હું અહિં આવ્યો? હવે સમુદ્રથી વિહિત થએલ ભયવાળી લંકામાં હું કેવી રીતે જઈશ ! ૧૪૨ ને લંકા પહોંચવાનું જાણવાવાળા જેને ત્યાં પહોંચવામાં વહાણ વિગેરે કોઈ ઉપાય હોવાનું કહેતા નથી, અને હું પ્રતિજ્ઞા કરેલ કાર્ય કર્યા વિના પાછો પણ કેમ જઉં ! . ૧૪૩પહેલાં હું ધીવર હોવા છતાં પણ ભાગ્યયોગે આટલી મહાન ભૂમિ પામે–આટલી ઉંચી હદે આવ્યું! હવે આવા એ ભાગ્યથી જ ભવિષ્યમાં જે સ્થિતિમાં મૂકાવાનો હતો તે આ સ્થિતિમાં મૂકાયે છું ! હવે મારું શું થશે ! | ૧૪૪ ખરેખર મેં એક જીવની દયાનાં ફલને થોડા ધનની જેમ જલદિ ભેગવી નાખ્યું. તેથી દરિદ્રની જેમ મને આ અતિ દુઃખીપણું યુક્ત છે. જે ૧૪૫ આ રીતે હરિબલ જેવો તેજસ્વી પણ તે દક્ષિણ દિશામાં તેજહીણ બની ગયો ! અને તે આશ્ચર્ય પણ નથી. કારણ કે તેજના સ્વામી સૂર્યનું તેજ પણ તે દિશામાં (દક્ષિણાયનને સૂર્ય થાય ત્યારે) ઘટી જાય છે. ૧૪૬ છે અથવા રાજાને તે સેવક તે દિશામાં નિસ્તેજ બની જાય તેમાં આશ્ચર્ય નથી. કારણ કે-તે દિશામાં પેસતાં તે સૂર્યનું તે જ પણ ઘટી જાય છે કે ૧૪૭ હરિબલ જડ બુદ્ધિ નહિ હોવા છતાં જડાશય (સમુદ્ર)ને સંગમ પામીને જ હોય તેમ તે વખતે જડમતિ બની ગયે ! અન્યથા જે કાર્ય કરવાનું જ છે. તેમાં વિલંબ કેમ ! ૧૪૮ ચિત્તમાં અત્યંત ઘેર્ય ધારણ કરીને હરિબલ, વળી ચિંતવવા લાગે – ખેદની વાત છે કે મને જે અનુચિત છે, તે કાયરતાને કાયરની જેમ હરિબલને સમુદ્રમાં હું ફેગટ શું કામ વહન કરૂં છું ! મહાન પુરૂષ માટે સ્વીકારેલ ઝુંપાપાન અને દેવ કાર્ય કરવું અથવા મરવું' એ એક જ માર્ગ છે. માટે જે સહાયથી લંકાગમન બનવું હોય તે બને સાહસના આલંબનથી જલદિ જ સમુદ્રમાં પ્રવેશ કરી દઉં ! છે ૧૪૯-૫૦ છે” એ પ્રમાણે ધૈર્યથી નિરધાર કરીને અને ચિત્તવૃત્તિને નિર્ભય કરીને તે હદપાર ભયવાળા સમુદ્રને વિષે હરિબલ, જેવામાં પૃપાપાત કરે છે, તેવામાં પ્રથમ આપેલ વરદાનના ગે આકર્ષાએલ સમુદ્રદેવ તેના પર પ્રસન્ન થયા અને સનેડપૂર્વક બે -“હે ભદ્ર! હું શું કાર્ય કરૂં?' છે ૧૫૧-૧ પર છે (જીવદયાના નિયમનું કેવું અતુલ ફળ છે! કે-ભૂલાઈ ગએલ વિધિની જેમ મને વિસ્મૃત થએલ પણ આ દેવ સંકટ વખતે અપય વિલંબ વિના પોતાની મેળે જ પ્રગટ થયો ! ! ૧૫૩ ” એ પ્રમાણે ચિંતવતાં ખુશ થએલ તે શિણ બુદ્ધિવાળા હરિબલે, દેવને સ્પષ્ટ કહ્યું કે “મને લંકામાં લઈજા અને આ કાર્યના નિવાહમાં (આ કાર્ય પાર ઉતારશે કે નહિ! એવી) થઈ રહેલ શંકાને દૂર કર: ' . ૧૫૪ છે (જેનું કુણે દમન કર્યું કહેવાય છે તે ) કાલિયનાગ જેમ કૃષ્ણને લઈ જાય તેમ १ अवाप्ये ४ । २ अभवम् । ३तचित्रम्। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005152
Book TitleShraddh Pratikraman Vandittu Sutra
Original Sutra AuthorShrutsthavir Maharshi
AuthorHanssagar
PublisherMotichand Dipchand G Bhavnagar
Publication Year
Total Pages558
LanguageGujarati
ClassificationBook_Gujarati & Paryushan
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy