SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯ પા. ૧૨૨) તથા પ્રવચનસારોદ્ધારના રહૃતકનાટા અહં પાર્જન માટેનાં સ્થાનક-કારણે) નામનાં દશમા દ્વારની ગાથા ૩૧થ્થી ૩૧૨માં આવશ્યકને તીર્થકર પદ પ્રાપ્ત કરવા માટે દશમું કારણ ગણવેલું છે. પ્રસાદની ટીકામાં આવશ્યક અર્થ અવશ્ય કરવા યોગ્ય પ્રતિક્રમણદિ જણાવ્યો છે, અને તેમાં નિરતિચાર હોય તે તીર્થંકરનામકર્મ બાંધે છે, એમ સ્પષ્ટપણે જણાવેલું છે. - ૨૧ આવશ્યકકિયાની મદુત્તા સમજાવવા અને આમેન્નતિનાં કાર્ય માં એ કેટલું ઉત્તમ સાધન છે તે આપણા દીલમાં બરાબર ઠસે તેટલા માટે ખુદ વંદિત્તાસૂત્રમાં જ ઉલ્લેખ કરવામાં આવેલ છે તે સૂત્રની ૩૭ થી ૧પ ગાથાઓ અને તે ઉપરની વૃત્તિને અનુવાદ આ પુસ્તક માં પાના નં. ૪ર૭ ૩૨ સુધીમાં કરેલું છે તે પુનઃ પુન: વાંચી અનન કરવા યોગ્ય છે. ૨૨ ઉપરનાં વિવેચનાથી સ્પષ્ટ થાય છે કે-“આવશ્યકકિયા આધ્યાત્મિક વિકાસ માટે અત્યંત ઉપયોગી અને લાભદાયક વસ્તુ છે. સંસારચક્રમાં મનુષ્યભવ સિવાય બીજા કોઈપણ ભવમાં તે આરાધી શકાય તેમ ન હોવાથી એને મહત્વ માં વિશેષ વધારો થાય છે. પોતાના આત્માની શુદ્ધદશા પ્રાપ્ત કરવાના અભિલાષીઓએ આ કિયાનો સંપૂર્ણ ભાવપૂર્વક નિરતિચાર પણે યથાશકિત આદર કરવો જ જોઈએ. ૨૩ “આવશ્યક”ના છ વિભાગો આપણે ઉપર જોયા. પણ તે દરેક વિભાગની બાંધણી એવી છે કે–પ્રત્યેક આવશ્યક પણ છ-છ આવશ્યકમય હોય છે. * રેમિભંતે !”માં બે ઘડીનું સામાયિક શ્રાવક લે છે, તેમાં પણ છે આવશ્યકે જોવામાં આવે છે. એ જ પ્રમાણે કોઈપણ પ્રતિક્રમણ, ગુરૂવંદન, ચતુર્વિશતિસ્તવ, કાસર્ગ અને પ્રત્યાખ્યાન પણ છએ આવશ્યકમય હૈદ્ય છે. જેમકે– કોઈપણ કિયા તીર્થકરની આજ્ઞા વિરૂદ્ધ કરવાની નથી. તેમજ તેઓને પિતાની સામે આદર્શ તરીકે રાખ્યા વિના કરવાની નથી હોતી. તથા દરેક કિયા ગુરૂમહારાજના સાનિધ્યમાં કરવાની હોય છે, એટલે ચતુર્વિશતિસ્તવ તથા ગુરૂવંદન દરેક ક્રિયામાં અવશ્યકમય હોવાં જોઈએ. અને તેમાં સંપૂર્ણ બળ વાપરીનેજાગૃતભાવે મન, વચન, કાયા વાપરીને એટલે કાગે પૂર્વક કરવાની હોય છે જેથી સામાયિક અને કાર્યોત્સર્ગ પણ દરેકમાં આવી જાય. અને તેમાં ભૂલો થવાનો સંભવ હોય છે. તેમાં આવતાં વિદને દૂર કરવાના હોય છે જ એટલે પ્રત્યાખ્યાન કરવું જોઈએ. અને તેમાં થતી ભૂલ ન થવા સાવચેત રહેવું જોઈએ. ભૂલને ભૂલરૂપે સમજવી વગેરે પ્રતિકમણ કરવું જ પડે. સારાંશ કે કંઈપણું આવશ્યકમાં બીજા પાંચ આવશ્યક પેટામાં સમાયેલા જ હોય છે. વળી જ આવશ્યક આખા દિવસમાં સાચવવાની આજ્ઞા છે તેમાંના છ આવશ્યક જે શ્રાવક શ્રાવિકા આખા દિવસમાં ન સાચવી શકયા હોય તેમણે તે છરને આવશ્યક સાંજે પ્રતિક્રમણ વખતે પણ સાચવવા (૧) પ્રથમ સામયિક લેવું તે સામાયિક વ્યાવશ્યક સાચવવું. (૨) પછી એ દિવસનું ગુરૂવદન સાંજે બે વાંદણાથી કરવું. (૩) પછી દિવ ચરમનું પ્રત્યાખ્યાન લેવાય છે. (૪) ચાર થાયથી દેવ વાંદી ચતુર્વિશતિસ્તવ કરવું (૫) દેવસિઅપડિ ઠાઉં ત્યાંથી અ ઈજ જેસુ સુધી છ આવશ્યકમય દેવસય પ્રતિક્રમણ કરવું. (૬) પછી દેવસ પ્રાયશ્ચિત્ત તરીકે અને અક્ષય કક્ષય નિમિતે ચાર ચાર લેગસ્સના દેવસિય કાઉસગ્ન કરવા એમ એક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005152
Book TitleShraddh Pratikraman Vandittu Sutra
Original Sutra AuthorShrutsthavir Maharshi
AuthorHanssagar
PublisherMotichand Dipchand G Bhavnagar
Publication Year
Total Pages558
LanguageGujarati
ClassificationBook_Gujarati & Paryushan
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy