SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ ૮ શ્રી શાહપ્રતિક્રમણ વહિgવની આદર્શ ટીકના સરલ અનુવાદ સમ્યક્ત્વની દઢતા વિષે શ્રી જય અને વિજયકુમારનું અદ્ભુત દૃષ્ટાંત. અત્યંત સમૃદ્ધિથી ચોમેર ભરપૂર એવા શ્રી અંબૂદ્વીપમાં રહેલા આ ભરતક્ષેત્રને વિષે સ્વર્ગની કૃદ્ધિની સ્પર્ધા કરે તેવી અદ્ધિવડે વિશ્વને આનંદ પમાડનાર એવું નંદીપુર નામનું નગર હતું. આ સર્વ સંપત્તિને આપનારા એવા તે નગરને વિષે દરિદ્રતા દરિદ્રતામાં જ દુર્ભાગ્ય દુર્ભાગ્યમાં જ, દુષ્કાળ દુષ્કાળમાં જ, દુઃખ દુઃખમાં જ, ક્ષય ક્ષયમાં જ અને ભય વિગેરે ભયમાં જ જમ્યા હતા ! અર્થાત નગરવાસી જનેમાં તે સહમાંના એકને પણ સ્થાન હતું! તે નગરમાં સમસ્ત શત્રુસમૂહને ત્રાસ સમે એવો ધમ, નીતિ, ઠકુરાઈ અને સંપદાને અરસપરસ પ્રિયમેળ ૨ખાવનાર ધર્મ નામે રાજા હતા. ર-૩ો જે રાજાના દિગવિજયમાં-શત્રુઓના મુખે માલિજ પથરાવાનું જ છે, એમ જાણે ભવિષ્ય વિચારીને જ ન હોય તેમ સેનાના ચાલવાથી ઉછળતી અને આગળ આગળ પ્રસરતી ધૂળના સમૂહવડે શત્રુને જીત્યા પહેલાથી જ માલિન્ય છવાતું હતું કે ૪ ૫ આ રાજનને સ્ત્રીઓની કળાઓમાં અતિ નિપુણ એવી શ્રીકાંતા, શ્રીદત્તા અને શ્રીમતી એ નામે નંદીપુર નગરમાં ત્રણ મુખ્ય પટ્ટરાણીઓ હતી. પણ તે ત્રણ પટ્ટરાણીઓમાંની શ્રી જય કુમાર અને મુખ્ય પટ્ટરાણી શ્રીકાંતાને પંડિતજનેને માન્ય એવા જયશ્રી વિજયકુમારને જમ. કુમાર નામના પુત્રરત્નને જન્મ થયે, અને બીજી પટ્ટરાણ શ્રીદતાને નામથી અને તેથી જગતને જીતતા એવા વિજયકુમાર નામના પુત્રરત્નને જન્મ થયો. | ૬ || આ બંને પુત્રરત્નને દિવ્ય રૂપ આદિ ઉચ્ચ ગુણની સાથે કપાસના રંગની જેમ પૂર્વભવથી સાથે આવેલું સમ્યકત્વ બાલપણામાં પણ પ્રગટ હતું ! ૭. સરખી આકૃતિ, સરખી ઉંમર, સરખી વિદ્ય, સરખું શીલ–સદાચાર અને સરખા ગુણોની શોભાવાળા તે બંને કુમારને જાણે આખે પાસેથી શીખેલ ન હોય-એવું અજ્ય સદશ સગ-મિત્રતા હતી. તે ૮ મે કહ્યું છે કે – पाण्योरुगकृति सत्व-स्त्रियाः भग्नशुनो बलम् ॥ जिह्वाया दक्षतामक्ष्णोः, सखितां शिक्षयेत् सुधीः ॥१॥ - અર્થ -પંડિત પુરુષે બે હાથ પાસેથી ઉપકાર કરવાનું, સ્ત્રી પાસેથી સત્વ, હારેલા કૂતરા પાસેથી બળ, જીભ પાસેથી દક્ષતા-કુશળતા અને બંને આંખો પાસેથી મિત્રતા શીખવી જોઈએ. જે ૧છે - હવે સ્વભાવથી દુદ્ધિવાળી એવી ત્રીજી શ્રીમતી નામની પટ્ટરાણીને પણ કાદવવાળી ભૂમિમાંથી જે કમળ પેદા થાય તેમ ન્યાય અને નીતિમાન એવો નયધીર નામના પુત્રરત્નનો જન્મ થયો! ૧૦ ૧‘સર્વસંપન્ન ચ=”+ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005152
Book TitleShraddh Pratikraman Vandittu Sutra
Original Sutra AuthorShrutsthavir Maharshi
AuthorHanssagar
PublisherMotichand Dipchand G Bhavnagar
Publication Year
Total Pages558
LanguageGujarati
ClassificationBook_Gujarati & Paryushan
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy