SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શ્રાદ્ધપ્રતિકમણ-વંદિત્તસત્રની આદર્શ ટીકાને સરલ અનુવા तवसंजमजोगेसुं, जो जुग्गो तत्थ तं पवत्तेई ॥ असहं च निअतई गणतत्तिल्लो पवत्तीओ ॥ ५॥ थिरकरणा पुण थेरो, पवत्ति वावारिएसु अत्थेसु ॥ जो जत्थ सीअइ जई, संतबलो तं थिरं कुणइ ॥ ६॥ उद्धावण पहावण-खित्तोवहिमग्गणासु अविसाई ।। मुत्तत्थतदुभयविऊ, गणवच्छो एरिसो होई ।। ७॥ સૂત્ર અને અર્થના જાણનાર, શાસ્ત્રમાં દર્શાવેલા આચાર્યનાં લક્ષણેએ કરી સહિત, મહેલને જેમ સ્થંભ આધાર છે, તેમ, ગચ્છરૂપી મહેલના આધાર સ્વરૂપ, ગ૭ની સારસંભાળથી વિશેષ કરીને છૂટા થએલા (કારણ કે આ પછીની પાંચમી ગાથામાં જણાવ્યા મુજબ ગ૭ની સારસંભાળકરવાનું કામ પ્રવર્તકજીનું છે, આચાર્યનું નથી.) એવા જે આચાર્ય છે તે (સૂત્ર ન ભણાવે.) અર્થ કહે. ૫ (૨) આચાર્ય, સૂત્ર કેમ ન ભણાવે? તે સંબંધી આ બીજી ગાથામાં ખુલાસે આપે છે કે–સૂત્રની વાચનાને ટાઈમ બચવાથી આચાર્યને અર્થનાં ચિંતવન સ્વરૂપ ધ્યાનમાં એકાગ્રતા હોય–તન્મયતા હોય. એમ એકાગ્રતાથી ચિંતવન કરવામાં સુરના અર્થની વૃદ્ધ હોય-નવા નવા સૂક્ષ્મ અર્થો સૂઝતા હોય એમ આચાર્યમાં અથેની વૃદ્ધિ હોવાથી તીર્થંકરોની જેમ આચાર્ય પણ અર્થને કહે તેમાં તેને શ્રી તીર્થ કર દેવનું અનુકરણ હોય એ અનુકરણમાં આચાર્યની મહત્તા છે. તે મહત્તામાં શાસનની પ્રભાવના હોવાથી આચાર્ય “મારૂં અનુકરણ આચાર્યું કરવું એવી પ્રભુ આજ્ઞામાં સ્થિરત્વ ધરાવ્યું ગણાય-પ્રભુ આજ્ઞાનું પાલન કર્યું કહેવાય. આ વિગેરે હેતુથી (આચાર્ય પદની પૂર્વે મોક્ષ પ્રાપ્તિના હેતુભૂત સમ્યગદર્શન અને સભ્યજ્ઞાન તીર્થકર ભગવંતના ઉપદેશ શિવાય જાણી શકાતાં નથી માટે સમ્યફ ચારિત્ર દ્વારા મુક્તિ મેળવવા માટે શ્રી જિનેશ્વર ભગવંતની આજ્ઞાને તે શાળા જો માનીને આરાધવાની જ છે, પરંતુ શ્રી જિનેશ્વર ભગવંતેનું ચારિત્ર પણ ઉત્તમોત્તમ હોવાથી શ્રી સંધને અવશ્ય અનુકરણીય છે, જિનેશ્વરે વર્તન પણ તેવું જ કરે છે કે-જે મેક્ષ માગવાળાને અનફળ જ હોય. આ હિસાબે પિતાનું અનુકરણ કરનારા મુમુક્ષુઓ અનુકરણુના માર્ગથી ચૂકી ન જાય એ માટે તે ભગવત મહાવીર દેવે પાત્રમાં પારણું કર્યું, વસ્ત્ર ધારણ કર્યું, તળાવનું જલ અને ગ ડામાંના તલ અચિત્ત હતા છતાં વ્યવહારથી વિરૂદ્ધ એવા તે પદાર્થોને વાપરવાની સાધુઓને આજ્ઞા ન કરી અને અણુસણ કરાવ્યું” તપ ચિતામણિના કાઉસગમાં પણ આજ્ઞા પ્રધાન શ્રી સંઘ એથી જ ભગવંતના છ માસી તપનું અનુકરણ ચિંતવે છે. દીક્ષા લેનાર દાન દેતી વખતે સંવત્સરીના દાનનું, વર્ષ તપ કરનાર શ્રી રામદેવ ભગવંતના વાર્ષિક તપનું અનુકરણ કરે છે તેમ આચાર્ય મહારાજ અહિં જે સોના અર્થો જ કહે છે સત્ર કહેતા નથી તે પણ શ્રી જિનેશ્વર દેવનું અનુકરણ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005152
Book TitleShraddh Pratikraman Vandittu Sutra
Original Sutra AuthorShrutsthavir Maharshi
AuthorHanssagar
PublisherMotichand Dipchand G Bhavnagar
Publication Year
Total Pages558
LanguageGujarati
ClassificationBook_Gujarati & Paryushan
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy