________________
ઉપસંહાર ! થથકત્તાનું લક્ષતાદર્શન ઉ૫હાર કેવી રીતે ?
( ૫ ) થયેલા યોગબીજની પુષ્ટિ થશે, તેમાં સોગ સાધનરૂપ અંકુર ફૂટશે અને યોગસિદ્ધિરૂપ વૃક્ષ ફાલીફૂલીને મોક્ષરૂપ પરમ અમૃત ફળ આપશે. આમ આ જોગીજનેને પણ આ શાસ્ત્ર થકી આત્મલાભરૂપ કંઈક ઉપકાર લેશથી થ સંભવે છે. વળી “લેશથી ”—કંઈક એમ કહ્યું છે, તે અન્ય પ્રત્યેના ઉપકારનું ગણપણું સૂચવવા માટે છે. કારણકે ગ્રંથકત્તોને અભિપ્રાય એ છે કે–બીજાઓને તે આથી લેશથી-કંઈક જ ઉપકાર થવો સંભવે છે, પણ આ ગ્રંથગ્રથનથી મુખ્ય ઉપકાર-મુખ્ય આત્મલાભ તે મને જ છે. આ ગ્રંથ તે મેં ઉપરમાં કહ્યું હતું તેમ “આત્માનુસ્મૃતિને અર્થે ” એ છે. એટલે આ ગ્રંથનું મુખ્ય પ્રયજન તે મહારા પિતાના આત્માને ઉપકાર છે-હારા પિતાના આત્માર્થની સિદ્ધિ છે. બાકી ગોણપણે બીજા જોગી જીવોને આ ગ્રંથરચનાથી કંઈ આનુષંગિક લાભ થતો હોય તો ભલે થાઓ ! તે લેવાને તેઓ પરમ યોગ્ય છે ! તેઓ પણ આનાથી યથેચ્છ આત્મલાભ ભલે ઊઠાવો ! પરમ પ્રેમથી આમ કરવાનું તેમને સર્વને આમંત્રણ છે! પરમ ગામૃતનું આકંઠપાન કરવા માટે મેં જે આ રચના કરી છે, તેમાં અવગાહન કરી-ઊંડા ઉતરી તેઓ પણ ભલે આ પરમ ગામૃતનું પાન કરી તૃપ્ત થાઓ ! અને પરમ આત્માનંદરસને અનુભવ કરે ! પક્ષપાત માત્ર થકી શો ઉપકાર ? એવી આશંકા દૂર કરવા માટે કહે છે
तात्त्विकः पक्षपातश्च भावशून्या च या क्रिया। अनयोरन्तरं ज्ञेयं भानुखद्योतयोरिव ॥ २२३ ॥ પક્ષપાત તાત્વિક અને ક્રિયા ભાવહીન તેમ;
બેનું અંતર જાણવું, સૂરજ ખજુઆ જેમ. રર૩ અર્થ –તાત્વિક પક્ષપાત અને ભાવશૂન્ય જે ક્રિયા,-એ બેનું અંતર સૂર્ય–ખવતની
પેઠે જાણવું
વિવેચન “શુદ્ધ ભાવ ને સૂની કિરિયા, બહુમાં અંતર કેજી;
ઝળહળતો સૂરજ ને ખજુઓ, તાસ તેજમાં તેજી. ” શ્રી એ. સ. ૮-૬
ઉપરમાં અન્ને પક્ષપાત માત્રથી પણ બીજાઓને ઉપકાર થવાની સંભાવના કહી, તે કેમ બની શકે? એવી આશંકા અહીં દૂર કરી છે. તાવિક એટલે કે જે પારમાર્થિક
વૃત્તિા–તારવા પક્ષપાત-તાત્વિક પક્ષપાત, પારમાર્થિક પક્ષપાત, માવજ્જા = ચા વિા-અને ભાવશૂન્ય એવી જે ક્રિયા, મનોરતાં શેહેં-આ બેનું અંતર જાણવું. કેની જેમ? તે કે-ન્મનુઘોડોવિ-સૂર્ય અને ખદ્યોતની જેવું મહદ્ અંતર એમ અર્થ છે. ८४
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org