SearchBrowseAboutContactDonate
Page Preview
Page 747
Loading...
Download File
Download File
Page Text
________________ મુક્તતત્વમીમાંસા: ક્ષણિકવાદમાં અસત ઉત્પાદ આદિ દોષ (૬૫૧) સતનું અસતપણું સતે-ઉત્પત્તિ તસ હોય; તેથી તેહ અસવને, અહિં નાશ પણ જોય, ને તેથી કરી નષ્ટને, ઉપજે પુનર્ભાવ; અથવા નાશ સદા કલ્લે, સ્થિતિ ન તેની સાવ. ૧૮૫ અર્થ–સતનું અસ–અસતુપણું માનવામાં આવ્યું તે અસવન-અસતપણાને ઉત્પાદ થશે, તેથી કરીને તે અસત્ત્વનો નાશ પણ થશે, તેટલા માટે નષ્ટ અસવને પુનર્ભવ થશે, અને સદા નાશ માન્ચે તેની સ્થિતિ જ નહિં હાય. વિવેચન a ga ઘ મવતિ” તે જ નથી હોત” એ વચન ઉપરથી સતનું-ભાવનું અસર–અભાવ માનવામાં આવ્યું, કવચિત હોવાપણાને લીધે અસત્વનો ઉત્પાદ થશે, અને તે ઉત્પાદને લીધે તે અસત્રને નાશ પણ થશે. કારણ કે “જે ઉ૫ત્તિવાળું અસત્ ઉતપાદ હોય તે અનિત્ય હાય” એ નિયમ છે. અને તેથી કરીને નષ્ટ એવા આદિ દેાષ અસત્વને તે જ રૂપે પુનર્ભવ થશે, કારણ કે અસત્વના વિનાશની અન્યથા અનુપપત્તિ છે, અર્થાત્ બીજી કઈ રીતે ઘટમાળપણું નથી. હવે નાશ તો નાશાત્મક ભાવને લીધે પૂર્વ પશ્ચાત-આગળ પાછળ અવસ્થિત જ છે, એમ કઈ કહે તો એ આશંકીને કહે છે સદા નાશ જે માનવામાં આવે, તે તેની સ્થિતિ જ નહિં હોય, વિવક્ષિત ક્ષણે પણ તે નાશ પામે. તે જ નથી હોત” એ વચનના આધારે જે સતનું અસતપણું માનવામાં આવે, ભાવનું અભાવપણું માનવામાં આવે, તે અસતની ઉત્પત્તિ થશે, અભાવનો ઉદ્દભવ થશે. એટલે જે વસ્તુનું મૂળ અસ્તિત્વ જ છે નહિ, તે નવી આવીને કાં તો સદા સતઃ ઉત્પન્ન થશે, અભાવમાંથી ભાવ ઉપજશે, શૂન્યમાંથી જગત્ પેદા થશે ! કાં તો સદા અસત્ આમ આકાશપુષ્પ, શશશંગ, અથવા વંધ્યાસુત કે જેનું અસ્તિત્વ જ છે નહિં, તે આપમેળે આકાશમાંથી ઉભા થશે ! આમ આ અસત્ ઉત્પાદ પ્રત્યક્ષબાધિત છે, અનેક પ્રકારે દેષયુકત છે. (૧) તથાપિ ધારો કે અસત્ ઉત્પાદ થશે, તો તે અસને નાશ પણ સાથે આવીને ઉભું રહેશે. કારણ કે જેની ઉત્પત્તિ હોય તેને નાશ પણ હોય જ એવો નિયમ છે. તેથી અસવને વિનાશ થશે, તે અસવ પણ ઊડી જશે. એટલે નષ્ટ એવા અસત્વનો તે જ રૂપે પુનર્ભવ થશે, કારણ કે અસત્વને વિનાશ તા-તે અસવનો નાશ પણ થશે.–દુસ્તસમાનિત્યે' જે ઉપત્તિવાળું હોય તે અનિત્ય હોય, એટલા માટે. -જે કારણથી, જેથી કરીને. એમ તત્તે થી કરીને, નદૃશ્ય-નષ્ટનો, અસવને, પુનમ:-તે જ રૂપે પુનર્ભાવ થશે,–તે અસત્ત્વના વિનાશની અન્યથા અનુ૫૫ત્તિને લીધે (તે અસત્વને વિનાશ બીજી કોઈ રીતે નહિં ઘટે, માટે). હવે “નાશ તે નાશાત્મક ભાવને લીધે પૂર્વ–પશ્ચાત અવસ્થિત જ છે ” એ આશંકીને કહે છે–રવા ના-સદા નાશ માનવામાં આવ્યું, શું? તો કેતિથતિ તેની સ્થિતિ નહિં હોય, વિવક્ષિત ક્ષણે પણ તે નાશ પામે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy