________________
પરા દષ્ટિ : પરા દષ્ટિના કળશ કાવ્ય
( ૬ર૭ ) સાક્ષાત મોક્ષપદ નીસરણી સમાણ, એવી અપૂર્વ ગુણ શ્રેણી ચઢત નાણું, યોગીશ્વર પરમ કેવલથી વરે છે, જે નિત્ય ઉદય નિરાવરણ કરે છે. ૧૫ર આકાશમાં પ્રકૃતિથી સ્થિત જેમ ચંદ્ર, શુદ્ધ સ્વભાવ સ્થિત છે ત્યમ આત્મચંદ્ર સચંદ્રિકા સમ જ કેવલ જ્ઞાન લેવું, તે જ્ઞાન આવરણ મેઘસમૂહ જેવું. ૧૫૩ તે ઘાતિ કર્મ ઘન શું વિખરે ઝપાટે, સંન્યાસ ધર્મરૂપ વાયુ તણું સપાટે ત્યારે શ્રીમાન પરમ કેવલજ્ઞાન પામે, ને જ્ઞાનકેવલી કહાય યથાર્થ નામે. ૧૫૪ સર્વેય દોષ ક્ષીણ સાવ જ વર્તનારા, સર્વજ્ઞ લક્વિફલ સર્વ જ ભેગનારા, સાધી પરાર્થ પર તેહ પર કૃપાળુ, ગાંત શ્રીમદ મુનીંદ્ર લહે દયાળુ. ૧૫૫ શેલેશીમાંહિ સહાત્મસ્વરૂપ સ્વામી, પામી જ શીઘ પર યોગ અયોગ નામી, વ્યાધિ ભવ ક્ષય કરી નિરવાણ પામે, સુસ્થિત તેહ ભગવાન નિત સૌખ્ય ધામે. ૧૫૬
॥ इति महर्षिश्रीहरिभद्राचार्यविरचिते किरत्चंद्रसू नुमनःसुखनंदनेन भगवानदासेन सुमनोनंदनीबृहत्टीकाख्यविवेचनेन सप्रपञ्च विवेचिते श्रीयोगदृष्टिसमुच्चयशास्त्रे अष्टमी vi g: +
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org