________________
પ્રભાદઃ “ સઘળું પરવશ તે દખલક્ષણ', “પ્રતિક્રમણ કર્યું છૂટકે
(૫૭૩) થઈ, યથાખ્યાત ચારિત્ર પ્રગટયું, આત્મા પરમ શાંતિમાર્ગને પાયે, સ્વરૂપે માયા સ્વરૂપમાં વિશ્રાંત થયે, સ્વરૂપ સમજીને તેમાં જ શમાઈ ગયો. આ એવા બધા “શમ”ના પ્રકાર છે. અથવા તે સરવાળે પરિણામે એક જ છે.
આવા અપૂર્વ શમની અત્ર પ્રાપ્તિ હોય છે. એટલે જ આ ધ્યાનસુખને શમસાર-શમપ્રધાન કહ્યું છે. તેમજ–
सर्व परवशं दुःखं सर्वमात्मवशं सुखम् । एतदुक्तं समासेन लक्षणं सुखदुःखयोः ।। १७२ ॥ પરવશ સઘળું દુખ છે, નિજવશ સઘળું સુખ;
લક્ષણ એ સુખ દુઃખનું, કહ્યું સંક્ષેપ મુખ્ય. ૧૭૨ અર્થ–પરવશ હોય તે બધુંય દુઃખ છે, અને આત્મવિશ હોય તે બધુંય સુખ છે, આ સંક્ષેપમાં સુખદુ:ખનું લક્ષણ કર્યું છે.
વિવેચન, “ સઘળું પરવશ તે દુઃખલક્ષણ, નિજવશ તે સુખ લહીએ,
એ હદે આતમગુણ પ્રગટે, તે વિણ સુખ કુણુ કહીએ ?”—હ્યા છે. સજઝાય ૭-૨ જે કાંઈ પરવશ છે–પરાધીન છે, તે બધુંય દુઃખ છે, અને જે સ્વવશ છે–આત્મવશ છે. તે બધુંય સુખ છે, કારણકે તેમાં સુખ-દુખના લક્ષણને યોગ છે. આ સંક્ષેપમાં સુખદુઃખનું લક્ષણ-સ્વરૂપ મુનિએ કહ્યું છે.
સામાન્ય લોકવ્યવહારમાં પણ કહેવાય છે કે “પારકી આશ તે સદા નિરાશ ” પરાધીનતા–પરતંત્રતા જેવું કંઈ દુઃખ નથી ને સ્વાધીનતા-સ્વતંત્રતા જેવું કંઈ સુખ
નથી. કોઈ પારકી આશે શીયાળો થઈને પડ્યો હોય, તેનું દુઃખ તે “સઘળું પરવશ પોતે જ જાણે છે. પરાધીન-પરતંત્ર રાષ્ટ્ર કે પ્રજાને કેવું દુઃખ ભેગવવું તે દુઃખલક્ષણ” પડે છે, તે હાલના જમાનામાં સર્વ કઈ જાણે છે. આમ જેમ
વ્યવહારમાં, તેમ પરમાર્થમાં પણ પરાધીનતા-પરતંત્રતા એ દુઃખ છે, સ્વાધીનતા-સ્વતંત્રતા એ સુખ છે. પરમાર્થથી પરાધીનતા એટલે આત્માથી અતિરિક્ત-જૂતી એવી પરવસ્તુને આધીન પણું-પરતંત્રપણું, સ્વાધીનતા એટલે નિજ આત્મસ્વરૂપને આધીનપાણું-સ્વતંત્રપણું. જેમાં પર વતુરૂપ વિષયની અપેક્ષા રહે છે, તે વિષયજન્ય સુખ તે
વૃત્તિ – gવાં સુરમ્-પરવશ તે સર્વ દુઃખ છે, તેના લક્ષણના યોગ થકી, સર્વમારમારાં પુત્ર-આત્મવશ તે સર્વે સુખ છે-એ જ હેતુથકી. તદુ-આ કહ્યું છે મુનિએ, તમાન-સમાસથી, સંક્ષેપથી, ઋક્ષમૂ-લક્ષણ, સ્વરૂપ, ગુણસુ થો-સુખ-દુઃખનું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org