SearchBrowseAboutContactDonate
Page Preview
Page 661
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભાષ્ટિ : આત્મકથાનની મુખ્યતા, રોગ દેવને નાશ (૫૬૫). હિંસ્યા વિણ કિમ શુદ્ધ સ્વભાવને ઈચ્છતા ઈછા વિણ તુજ ભાવ, પ્રગટ કિમ પ્રીછતા ? પ્રીછયા વિણ કિમ યાન, દશામાંહિ લાવતા? લાવ્યા વિણ રસસ્વાદ, કહે કિમ પાવતા? ભક્તિ વિના નવિ મુક્તિ, હવે કઈ ભક્તને, રૂપી વિને તે તે ન, હવે કઈ વ્યક્તિને અમ સતપુણ્યને ગે, તમે રૂપી થયા, અમિય સમા વાણી, ધરમની કહી ગયા. તે માટે તુજ પિંડ, ઘણા ગુણ કારણે, સેબે થાયે હવે, મહાભયવારણે. શાંતિવિજય બુધ શિષ્ય, કહે ભવિકાજના ! પ્રભુનું પિંડસ્થ ધ્યાન, કરો થઈ એકમના.” –શ્રી રૂપવિજ્યજી. “હારું ધ્યાન તે સમકિત રૂપ, તેજ જ્ઞાન ને ચારિત્ર તેહ છે; તેહથી જાયે સઘળા હે પાપ, ધ્યાતા ધ્યેય સવરૂપ હવે પછે.”—શ્રી યશોવિજયજી. આ સર્વજ્ઞ પરમાત્માને પરમ શાંત, પ્રશમરસનિમગ્ન વીતરાગ ભાવ જેમાં મૂર્તિમંત થાય છે, એવી તેની તદાકાર સ્થાપનારૂપ જિનપ્રતિમા પણ ધ્યાન માટે તેટલી જ ઉપકારી થાય છે. જિન અને જિનપ્રતિમા બને નિમિત્ત જિનપડિમા સમાન છે, એવી આગમવાણી છે. એટલે આ સ્થાપનારૂપ જિનપ્રતિમા જિન સારિખી’ સાથે પણ જે અભેદતા વધી, તો આ આત્માના સ્વસ્વભાવ ગુણની વ્યક્ત-પ્રગટ ગ્યતા સાધી એમ જાણવું. અને આવા આ રૂપી ભગવંતનું અદભુત રૂપ દેખીને આશ્ચર્ય છે કે ભવ્યજન-ગ્ય એવા યોગીજન અરૂપીપદ વરે છે ! “નિમિત્ત સમાન થાપના જિનજી, એ આગમની વાણી રે.” “જિનપડિમા જિન સારિખી, કહી સૂત્ર મઝાર.” “ઠવણું સમવસરણ જિન સેંતી, જે અભેદતા વાધી રે, એ આતમના સ્વસ્વભાવ ગુણ, વ્યક્ત ગ્યતા સાધી રે. –શ્રી દેવચંદ્રજી. દેખી જે અદ્દભુત તારું રૂપ, અચરિજ ભવિકા અરૂપી પદ વરેજી; હારી ગત તું જાણે છે દેવ ! સમરણ ભજન તે વાચક યશ કરે.”–શ્રી યશોવિજયજી. તેમજ રૂપાતીત આદિ ધ્યાન પ્રકારે પણ આત્માને સ્વરૂપાવલંબનમાં પરમ ઉપકારી થઈ આત્મધ્યાને ચઢાવે છે. આ આત્મધ્યાન જ મુખ્ય એવું યોગસાધન છે, કારણ કે તેનાથી જ રોગને મુખ્ય ઉદ્દેશ સિદ્ધ થાય છે, શુદ્ધ સ્વભાવરૂપ મોક્ષ સાથે યુજન થાય છે, શુદ્ધ આત્મતત્વના અનુસંધાનરૂપ યોગ નીપજે છે. આ ધ્યાન કરનાર ધ્યાતા પિતે ધ્યેયરૂપ–પરમાત્મારૂપ બની જાય છે. “કર્મવેગને સમ્યફ અભ્યાસ કરી, જ્ઞાનાગથી સમાહિત એ યોગી, ધ્યાનયોગ પર ચઢી, મુક્તિયોગને પામે છે. ' વાતો સારા જ્ઞાનોપમાહિત: થાનવો કુત્તા પ્રાપ્ત ) -શ્રી અધ્યાત્મસાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy